Site icon News Continuous Bureau | Mumbai

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા

E20 Ethanol Fuel ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી એન્જિન કે ગાડીના ભાગોને નુકસાન થવાનો દાવો પાયાવિહોણો; કંપનીઓએ કહ્યું કરોડો ગાડીઓમાં ટેસ્ટિંગ પછી જ લેવાયો નિર્ણય

E20 Ethanol Fuel  E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

E20 Ethanol Fuel દેશમાં E20 ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રામક દાવાઓ સામે સરકાર અને અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓએ સંયુક્ત રીતે સ્પષ્ટતા કરી છે. નિષ્ણાતોએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે પેટ્રોલ ટેન્ક પર કીડીઓ લાગવી કે એન્જિન ખરાબ થવા જેવા દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

E20 Ethanol Fuel – વર્ષોના સંશોધન બાદ અમલ

ઓટોમોબાઈલ કંપનીઓના અધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે E20 પેટ્રોલ કોઈ ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યું નથી. આ કાર્યક્રમ પર વર્ષો સુધી વૈજ્ઞાનિક અભ્યાસ, રિસર્ચ અને વ્યાપક પરીક્ષણો કરવામાં આવ્યા છે. ત્યારબાદ જ સરકારે તબક્કાવાર રીતે દેશભરમાં તેનો અમલ કર્યો છે. હાલમાં ભારતના ૭૭,૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ પર BIS માનકો મુજબ આ ઇંધણ ઉપલબ્ધ છે.

E20 Ethanol Fuel – જૂની ગાડીઓ પર ટેસ્ટિંગમાં કોઈ નુકસાન નહીં

મારુતિ સુઝુકીના સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. રાહુલ ભારતીએ જણાવ્યું કે, કંપનીએ ૨૦૨૩ પહેલા બનેલી E10 ગાડીઓ પર પણ E20 પેટ્રોલનું પરીક્ષણ કર્યું છે. ટેસ્ટિંગ અને સર્વિસ નેટવર્કથી મળેલા ડેટામાં ક્યાંય પણ એવું સાબિત નથી થયું કે ઈથેનોલને કારણે એન્જિન, ફ્યુલ ટેન્ક, પાઈપલાઈન કે અન્ય ભાગોને કોઈ વધારાનું નુકસાન થયું હોય. કરોડો વાહનોની સર્વિસિંગ દરમિયાન પણ આવી કોઈ અસામાન્ય ફરિયાદ સામે આવી નથી.

E20 Ethanol Fuel – ‘કીડીઓ લાગવી’ – માત્ર એક ભ્રમ

નિષ્ણાતોએ સાફ શબ્દોમાં કહ્યું કે ઈથેનોલમાં ખાંડ હોતી નથી, તેથી ટેન્ક પર કીડીઓ લાગવાની વાત તદ્દન ખોટી છે. તોયોટા કિર્લોસ્કરના અધિકારીઓએ એક વાયરલ કિસ્સાની તપાસ અંગે જણાવ્યું કે, તેમાં ઈંધણમાં ભેળસેળ અને પાણીની હાજરી જોવા મળી હતી. વાહનમાંથી ઈંધણ કાઢી ટેન્ક સાફ કર્યા બાદ ગાડી સામાન્ય રીતે ચાલવા લાગી હતી. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવી અને પર્યાવરણ માટે કાર્બન ઉત્સર્જન ઓછું કરવાનો છે.

👉 આ સમાચાર વાચો:
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!

Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Bhutan rejects E20 fuel Bhutan rejects E20 fuel શું ભૂતાનને ભારતના E20 પેટ્રોલ પર વિશ્વાસ નથી? જાણો શા માટે ઠુકરાવ્યો પ્રસ્તાવ
Exit mobile version