Site icon News Continuous Bureau | Mumbai

Earthquake Tremors Near Delhi-NCR: ફરી ધ્રુજી દિલ્હી-NCR ની ધરતી! હરિયાણાના રેવાડીમાં ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, સવાર-સવારમાં આંચકા અનુભવાતા લોકોમાં મચ્યો હાહાકાર.

સોમવારે વહેલી સવારે 7:01 કલાકે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 2.8 ની તીવ્રતા નોંધાઈ; જાનહાનિના કોઈ સમાચાર નથી

Earthquake Tremors Near Delhi-NCR; Residents Panic as 2.8 Magnitude Quake Hits Haryana's Rewari

Earthquake Tremors Near Delhi-NCR; Residents Panic as 2.8 Magnitude Quake Hits Haryana's Rewari

News Continuous Bureau | Mumbai

Earthquake Tremors Near Delhi-NCR રાજધાની દિલ્હી (Delhi) અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સમાચાર સામે આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને અનેક લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના રેવાડીમાં (Rewari) જમીનથી 5 કિમીની ઊંડાઈએ હતું. સોમવારે સવારે 7 વાગ્યાને 1 મિનિટે આવેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ છે. જોકે તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.તાજેતરના દિવસોમાં દેશ અને દુનિયાના અનેક ભાગોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પૃથ્વીની અંદર રહેલી 7 ટેક્ટોનિક પ્લેટ્સ (Tectonic Plates) સતત ફરતી રહેતી હોય છે. જ્યારે આ પ્લેટ્સ વચ્ચે અથડામણ કે ઘર્ષણ થાય છે, ત્યારે ધરતી પર ભૂકંપ જેવી કુદરતી હોનારત જોવા મળે છે. નિષ્ણાતોના મતે રેવાડીમાં આવેલો આ આંચકો ભલે ઓછી તીવ્રતાનો હોય, પરંતુ તે આવનારા મોટા જોખમનો સંકેત પણ હોઈ શકે છે.

Join Our WhatsApp Channel

દિલ્હી ભૂકંપના ખતરનાક ‘ઝોન-4’ માં શામેલ

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભારતનો લગભગ 59 ટકા હિસ્સો ભૂકંપ માટે સંવેદનશીલ છે. વૈજ્ઞાનિકોએ ભારતને ચાર ભૂકંપ ઝોનમાં વિભાજિત કર્યું છે (ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5). આપણી રાજધાની દિલ્હી ‘ઝોન-4’ (Zone-4) માં આવે છે, જેનો અર્થ છે કે અહીં ભવિષ્યમાં 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે જે મોટી તબાહી સર્જી શકે છે. હિમાલય ક્ષેત્ર અને કચ્છ જેવી ફોલ્ટ લાઈનોને કારણે ભારતમાં ભૂકંપનું જોખમ સતત તોળાતું રહે છે.

રિક્ટર સ્કેલ અને તીવ્રતાની અસર સમજો

ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કેલ પર દરેક સ્તરની અસર અલગ-અલગ હોય છે:
4 થી 4.9: ઘરમાં રાખેલો સામાન નીચે પડી શકે છે.
5 થી 5.9: ભારે ફર્નિચર હલી શકે છે.
6 થી 6.9: ઇમારતોના પાયામાં તિરાડો પડી શકે છે.
7 થી 7.9: ઇમારતો ધરાશાયી થઈ જાય છે અને મોટી જાનહાનિ થાય છે.
8 કે તેથી વધુ: આ સ્તરે સુનામીનું જોખમ રહે છે અને ભયાનક વિનાશ સર્જાય છે.

આ સમાચાર પણ વાંચો : LPG Subsidy Online: હવે ઘરે બેઠા જાણી શકશો ગેસ સબસિડી આવી કે નહીં! જાણો સ્ટેપ-બાય-સ્ટેપ સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ.

ભૂકંપ સમયે શું સાવચેતી રાખવી?

દિલ્હી અને રેવાડીમાં આવેલા આ આંચકા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો એલર્ટ થઈ ગઈ છે. નિષ્ણાતો સલાહ આપે છે કે જ્યારે પણ ભૂકંપના આંચકા અનુભવાય ત્યારે લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ અને તાત્કાલિક ખુલ્લા મેદાનમાં પહોંચી જવું જોઈએ. જો તમે ઘરની બહાર ન નીકળી શકો, તો મજબૂત ટેબલ અથવા પલંગ નીચે આશરો લેવો જોઈએ. હાલમાં રેવાડી અને દિલ્હીના વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.

PM Narendra Modi| અયોધ્યાથી મુંબઈ માટે નવી ટ્રેન, પીએમ મોદી વારાણસીથી કરશે બે નવી ટ્રેનોનું ઉદ્ઘાટન
Enforcement Directorate। EDનો સપાટો ગેરકાયદેસર વિદેશી રેમિટન્સ કૌભાંડમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 13 સ્થળોએ દરોડા
West Bengal Election 2026। બંગાળમાં ચૂંટણી હિંસા મુર્શિદાબાદમાં બૂથ પાસે બોમ્બ ધડાકા, અફરાતફરી વચ્ચે અનેક ઘાયલ!
West Bengal Elections 2026। બંગાળના મતદારો માટે પીએમ મોદીનો સંદેશ યુવાનો અને મહિલાઓને કરી ખાસ અપીલ, ‘મતદાન અવશ્ય કરો
Exit mobile version