Site icon

દિલ્હી સંવાદમાં આ 8 દેશોની ભાગીદારીએ દર્શાવી ભારતની જીત, પાકિસ્તાન અને ચીને સામેલ થવા નકાર્યું; આ છે કારણ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

તાલિબાન શાસનની સ્થાપના પછી અફઘાનિસ્તાનના ભવિષ્યની ચિંતામાં ભારત વિવિધ મોરચે અર્થપૂર્ણ પહેલ કરી રહ્યું છે. આ ક્રમમાં દિલ્હીમાં આઠ દેશોની બે દિવસીય બેઠક બોલાવવામાં આવી છે. પ્રથમ બેઠક ગઇકાલે હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં આ દિલ્હી સંવાદમાં અફઘાનિસ્તાનના 8 પાડોશી દેશોની ભાગીદારી સાબિત કરે છે કે તેઓ તાલિબાન સરકાર આવ્યા પછી તેમની સરહદ સુરક્ષા, ધર્માંધતા અને ડ્રગની હેરફેરને લઈને ચિંતિત છે.

 

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં પ્રાદેશિક સુરક્ષા સંવાદમાં પાકિસ્તાન અને ચીનની ગેરહાજરીએ આતંકવાદ, ધર્માંધતા અને સરહદની સુરક્ષા અંગેની તેમની યુક્તિઓ આખી દુનિયાની સામે ખુલ્લી પાડી છે. આ સંવાદમાં નવમાંથી 8 પાડોશી દેશોની ભાગીદારી એ ભારતની મોટી જીત છે. ભારતે પોતાના કથન અને કાર્યોથી સાબિત કર્યું છે કે અફઘાનિસ્તાન પ્રત્યે તેનો અભિગમ લોકશાહી દેશો સાથે સુસંગત છે. આ બેઠકમાં ચીન અને પાકિસ્તાનની ગેરહાજરીને કારણે તેમનો અસલી ચહેરો આખી દુનિયાની સામે ખુલ્લો પડી ગયો છે.

નિષ્ણાતોનું માનવું છે કે દિલ્હીમાં આયોજિત ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં પાકિસ્તાનની ગેરહાજરીએ તાલિબાન સરકાર સાથેના તેના સંબંધોને આખી દુનિયા સમક્ષ ઉજાગર કરી દીધા છે. આનાથી સાબિત થાય છે કે આતંકવાદ પ્રત્યે તેમનું વલણ બદલાયું નથી.

મુંબઈ પાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધી રહ્યા છે; તેની પાછળ આ છે કારણ; જાણો વિગત

પાકિસ્તાની આતંકવાદને ટેકો આપતા દેશ તરીકે ચીનની છબી આખી દુનિયામાં જાહેર છે. આ સાથે ચીન પાકિસ્તાનની જેમ અફઘાનિસ્તાનનો પણ પોતાના હેતુઓ માટે ઉપયોગ કરવા માગે છે. એટલા માટે તે નથી ઈચ્છતો કે અન્ય કોઈ દેશ અફઘાનિસ્તાનમાં દખલ કરે. ભારત અફઘાનિસ્તાન પર તેના અગાઉના વલણને વળગી રહ્યું છે અને કોઈ ઉતાવળમાં પગલાં લેવા માગતું નથી. તે અફઘાનિસ્તાનને લઈને તેની રાજદ્વારી નક્કી કરવા માગે છે.

આ બેઠકમાં ભારત ઉપરાંત ઈરાન, રશિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાને ભાગ લીધો છે. આખરે શું કારણ છે કે અફઘાનિસ્તાનથી સુરક્ષાના મુદ્દે દુનિયાના 8 દેશોને એકઠા થવું પડ્યું. આના 5 મોટા કારણો છે…

1. તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વધી રહ્યો છે.

2. ઉગ્રવાદ અને કટ્ટરવાદ.

3. તાલિબાનના આગમન પછી સરહદ પારથી સ્થળાંતર શરૂ થયું.

4. ડ્રગનું ઉત્પાદન અને દાણચોરી.

5. યુએસ અને નાટો દેશો દ્વારા અફઘાનિસ્તાનમાં છોડવામાં આવેલા હથિયારોથી ખતરો

પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના આ પુસ્તક પર થયો વિવાદ, દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો
 

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version