Site icon News Continuous Bureau | Mumbai

Election commissioner: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું..

Election commissioner: અરુણ ગોયલની વિદાય ત્યારે થઈ જ્યારે તેમના કાર્યકાળમાં ત્રણ વર્ષ બાકી હતા. હાલ ચૂંટણી કમિશનરની એક જગ્યા પહેલાથી જ ખાલી હતી. અગાઉ ચૂંટણી કમિશનર અનુપ પાંડે આ વર્ષે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા. જેમાં ગોયલે 21 નવેમ્બર, 2022 ના રોજ ભારતના ચૂંટણી કમિશનર (EC) તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

Election Commissioner Arun Goel resigned before Lok Sabha elections, President accepted..

Election Commissioner Arun Goel resigned before Lok Sabha elections, President accepted..

News Continuous Bureau | Mumbai

Election commissioner: લોકસભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે ( Arun Goel ) રાજીનામું આપી દીધું છે. જેમાં રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું ( Resignation ) સ્વીકારી લીધું છે. ભારતના ચૂંટણી પંચમાં પહેલેથી જ એક જગ્યા ખાલી હતી અને હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ આ પદ સાથે બાકી રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહે લોકસભા ચૂંટણીની ( Lok Sabha elections ) તારીખો જાહેર થવાની શક્યતા છે. ગોયલના રાજીનામાની તેની સમયમર્યાદા પર કોઈ અસર પડશે કે કેમ તે જોવું રહ્યું.

Join Our WhatsApp Channel

અરુણ ગોયલની વિદાય ત્યારે થઈ જ્યારે તેમના કાર્યકાળમાં ત્રણ વર્ષ બાકી હતા. હાલ ચૂંટણી કમિશનરની એક જગ્યા પહેલાથી જ ખાલી હતી. અગાઉ ચૂંટણી કમિશનર અનુપ પાંડે આ વર્ષે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા. જેમાં ગોયલે 21 નવેમ્બર, 2022 ના રોજ ભારતના ચૂંટણી કમિશનર ( EC ) તરીકે ચાર્જ સંભાળ્યો હતો. પંજાબ કેડરના 1985 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોયલ 37 વર્ષથી વધુ સેવા પછી ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ તરીકે સેવામાંથી નિવૃત્ત થયા.

 ચૂંટણી પંચમાં ( Election Commission ) પણ તેમના રાજીનામા અંગે કોઈને ખ્યાલ કે આશંકા નહોતી…

ગોયલના રાજીનામાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ચૂંટણી પંચમાં પણ તેમના રાજીનામા અંગે કોઈને ખ્યાલ કે આશંકા નહોતી. કમિશનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિર્ણયથી ચોંકી ગયા હતા. આવતીકાલે યોજાનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક હાલ મોકૂફ રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈને પણ એવી ધારણા નહોતી કે અરુણ ગોયલ આ રીતે પોતાના પદ પરથી રાજીનામું આપશે. તે જ સમયે, ત્રણ દિવસ પછી પંચે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાનું છે અને માત્ર બે દિવસ પહેલાં જ પંચ પશ્ચિમ બંગાળના પ્રવાસ પરથી પરત ફર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Holi Special Trains: રેલ્વે હોળી પર 112 સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે, મુંબઈથી હોળી પર ઘરે જવુ બનશે સરળ.. જાણો સંપુર્ણ ટ્રેન શેડયુલ..

7 ડિસેમ્બર, 1962ના રોજ પટિયાલામાં જન્મેલા અરુણ ગોયલ ગણિતમાં M.Sc. પંજાબ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓમાં પ્રથમ વર્ગ અને રેકોર્ડ બ્રેકર હોવા બદલ તેમને ચાન્સેલર મેડલ ઑફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ચર્ચિલ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડમાંથી વિકાસ અર્થશાસ્ત્રમાં ડિસ્ટિંકશન સાથે અનુસ્નાતક છે અને તેમણે જ્હોન એફ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ, હાર્વર્ડ યુનિવર્સિટી, યુએસએમાંથી તાલીમ મેળવી છે.

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
Gold Price Today। લગ્નસરા વચ્ચે સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો ૨૨ કેરેટ અને ૨૪ કેરેટનો આજનો ભાવ
Exit mobile version