Site icon News Continuous Bureau | Mumbai

Jammu-Kashmir: જમ્મુના રાજૌરીમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ આટલા આતંકીઓને માર્યા ઠાર.. સર્ચ ઓપરેશન ચાલુ

Jammu-Kashmir : સુરક્ષા દળોએ જમ્મુના રાજૌરીમાં વહેલી સવારે એક આતંકવાદીને ઠાર કર્યો. આ એન્કાઉન્ટર રાજૌરી જિલ્લાના દરસલ વિસ્તારમાં થયું હતું.

Jammu - Kashmir: One terrorist killed as encounter in Reasi continues

Jammu - Kashmir: One terrorist killed as encounter in Reasi continues

 News Continuous Bureau | Mumbai

Jammu-Kashmir :જમ્મુના રાજૌરી જિલ્લાના દરસલ વિસ્તારમાં એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ ઓપરેશન આજે વહેલી સવારે શરૂ થયું હતું. આ સાથે જ બેથી ત્રણ આતંકીઓ ઘેરાયેલા હોવાના પણ સમાચાર છે. આ પહેલા મે મહિનામાં પણ સુરક્ષાદળોએ અહીં આતંકીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા.

Join Our WhatsApp Channel

હકીકતમાં, શુક્રવારની વહેલી સવારે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે રાજૌરીના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે આતંકીઓએ સુરક્ષા દળોને આવતા જોયા તો તેઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓ પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં 1 આતંકી માર્યા ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે સુરક્ષા દળોએ વિસ્તારને સીલ કરી દીધો છે.

આ સમાચાર પણ વાંચો : આજે તારીખ ૦૨:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી 

આ વર્ષે અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે શ્રીનગરમાં પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આ પહેલા મે મહિનાની શરૂઆતમાં રાજૌરી વિસ્તારમાં આતંકી હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા. આ સાથે જ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ રાજૌરી વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

ગયા મહિને રાજૌરીમાં આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે પાકિસ્તાન, ચીન સહિત ઘણા દેશોના વિદેશ મંત્રીઓ SCO બેઠક માટે ભારતમાં હાજર હતા. એટલા માટે તેને પાકિસ્તાનના મોટા ષડયંત્ર તરીકે પણ જોવામાં આવ્યું હતું.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version