Site icon

વાયુસેનાના વિમાનમાં કાબુલથી બચાવી લવાયા 120 ભારતીયો, જામનગર પહોંચતાં જ લગાવ્યા ભારત માતા કી જયના નારા; જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની સાથે જ પરિસ્થિતિ હાથની બહાર નીકળી ગઈ છે. અફઘાનિસ્તાનમાં ખાસ કરીને કાબુલમાં ફસાઈ ગયેલા ભારતીય નાગિરકો જ નહીં, પણ સ્થાનિક નાગરિકો પણ ત્યાંથી બહાર નીકળવાના પ્રયાસમાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ પોતાના નાગરિકો અને રાજદ્વારીઓ સ્વદેશ પાછા લાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. એ પ્રયાસ હેઠળ આજે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાં ફસાયેલા 120 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા હતા.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે આવતીકાલે ધ્વજવંદનનો પ્લાન બદલ્યો, હવે અહીં ફરકાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ ; ખેડૂતોને કરી આ અપીલ 

કાબુલથી ઊપડેલુ વાયુસેનાનું વિમાન જામનગર ઍરપૉર્ટ પર સવારના 10.45 વાગ્યે લૅન્ડ થયું હતું. સ્વદેશ સહીસલામત પાછા ફરવાનો આનંદ તમામ ભારતીયોના  મોં પર જોવા મળ્યો હતો. ઍરપૉર્ટ પર ઊતરતાંની સાથે જ ભારત માતા કી જય, જય હિંદ અને વંદે માતરમના નારા સાથે ઍરપૉર્ટને તેમણે ગજવી નાખ્યું હતું. બચાવી લેવામાં આવેલા મોટા ભાગના લોકો અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ અને અન્ય સરકારી ઑફિસમાં તેમ જ સરકારના જુદા-જુદા પ્રોજેક્ટ પર કામ કરનારા લોકો છે.

 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version