Site icon News Continuous Bureau | Mumbai

વાયુસેનાના વિમાનમાં કાબુલથી બચાવી લવાયા 120 ભારતીયો, જામનગર પહોંચતાં જ લગાવ્યા ભારત માતા કી જયના નારા; જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની સાથે જ પરિસ્થિતિ હાથની બહાર નીકળી ગઈ છે. અફઘાનિસ્તાનમાં ખાસ કરીને કાબુલમાં ફસાઈ ગયેલા ભારતીય નાગિરકો જ નહીં, પણ સ્થાનિક નાગરિકો પણ ત્યાંથી બહાર નીકળવાના પ્રયાસમાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ પોતાના નાગરિકો અને રાજદ્વારીઓ સ્વદેશ પાછા લાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. એ પ્રયાસ હેઠળ આજે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાં ફસાયેલા 120 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા હતા.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે આવતીકાલે ધ્વજવંદનનો પ્લાન બદલ્યો, હવે અહીં ફરકાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ ; ખેડૂતોને કરી આ અપીલ 

કાબુલથી ઊપડેલુ વાયુસેનાનું વિમાન જામનગર ઍરપૉર્ટ પર સવારના 10.45 વાગ્યે લૅન્ડ થયું હતું. સ્વદેશ સહીસલામત પાછા ફરવાનો આનંદ તમામ ભારતીયોના  મોં પર જોવા મળ્યો હતો. ઍરપૉર્ટ પર ઊતરતાંની સાથે જ ભારત માતા કી જય, જય હિંદ અને વંદે માતરમના નારા સાથે ઍરપૉર્ટને તેમણે ગજવી નાખ્યું હતું. બચાવી લેવામાં આવેલા મોટા ભાગના લોકો અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ અને અન્ય સરકારી ઑફિસમાં તેમ જ સરકારના જુદા-જુદા પ્રોજેક્ટ પર કામ કરનારા લોકો છે.

 

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version