Site icon News Continuous Bureau | Mumbai

ભાજપમાં ભરતી જારી! હવે આ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને ભારતના પહેલા ગવર્નના પ્રપૌત્રએ કર્યાં કેસરિયાં, પીએમ મોદીના કર્યા વખાણ..

Ex-Congress leader and great-grandson of C Rajagopalachari, CR Kesavan joins BJP

ભાજપમાં ભરતી જારી! હવે આ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને ભારતના પહેલા ગવર્નરે કર્યાં કેસરિયાં, પીએમ મોદીના કર્યા વખાણ..

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી.રાજગોપાલાચારીના પ્રપૌત્ર સીઆર કેશવન આજે  ભાજપમાં જોડાયા છે. કેશવન કેન્દ્રીય મંત્રી વીકે સિંહ, ભાજપના નેતાઓ અનિલ બલુની અને પ્રેમ શુક્લાની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે. બીજેપીમાં સામેલ થવા પર સીઆર કેશવને કહ્યું, હું એ જ દિશામાં કામ કરીશ કે જે 2047 સુધીમાં ભારત વિશ્વગુરુ બને. રામસેતુ બનાવવામાં ખિસકોલીએ આપેલું યોગદાન એટલું જ મારું રહેશે.

Join Our WhatsApp Channel

પીએમ મોદીના વખાણ કર્યા

કેશવને કહ્યું, જ્યારે અમારા પીએમ તમિલનાડુમાં છે, ત્યારે હું તે દિવસે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ-ભાજપમાં જોડાવા બદલ તમારો આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નડ્ડાજીએ મને પ્રોત્સાહિત કર્યો.

પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે, વડાપ્રધાનની જન-કેન્દ્રિત નીતિઓ, ભ્રષ્ટાચાર-મુક્ત શાસન અને સુધારા આધારિત સર્વસમાવેશક વિકાસ એજન્ડાએ ભારતને એક નાજુક અર્થતંત્રમાંથી વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કર્યું છે. છેલ્લા 9 વર્ષમાં ભારતની બહાર રહેતા લોકોએ ભારતમાં વિકાસની રાજનીતિ કેવી રીતે થઈ રહી છે તે જોયું છે.

આ સમાચાર પણ વાંચો:  CAIT: ખાદ્યપદાર્થોના વેપારીઓએ અર્ધવાર્ષિક ‘આ’ લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવવાનો કર્યો સખત વિરોધ.. જાણો શું છે સમગ્ર મામલો.. 

હું મારા ઘરમાં એવા લોકોને ઓળખું છું જેમને પીએમ આવાસ યોજનામાંથી પાકું મકાન મળ્યું છે. 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. અમિત શાહજીએ એકવાર કહ્યું હતું કે પહેલા DBT ‘ડીલર બ્રોકર ટ્રાન્સફર’ હતી, પરંતુ હવે તે ‘ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર’ બની ગઈ છે.

ત્રણ દિવસમાં બીજેપીમાં જોડાનાર બીજા મોટા નેતા

સીઆર કેશવન એવા અન્ય નેતા છે જેઓ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે જેમના પરિવારનું કોંગ્રેસમાં મોટું સ્થાન છે. આ પહેલા 6 એપ્રિલે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેરળના દિગ્ગજ કોંગ્રેસી નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા હતા. જાન્યુઆરીમાં, એન્ટનીએ પીએમ મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં પાર્ટી લાઇનથી અલગ વલણ અપનાવવા બદલ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી તેમના રાજકીય ભવિષ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી.

OBC Creamy Layer OBC ક્રીમી લેયર મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા જુના આદેશમાં ફેરફાર કરવા કેન્દ્ર સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો શું છે માંગ
Parliament Committee Meeting સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો પેલેટ ગનના ઉપયોગ પર ચર્ચાની ઉગ્ર માંગ, વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે તીખી તકરાર
Swachh Bharat Mission Awards 2026 દેશના સૌથી સ્વચ્છ શહેરોનું એલાન ‘સ્વચ્છ ભારત મિશન પુરસ્કારો ૨૦૨૬’ સંપન્ન; જાણો કયા રાજ્ય અને શહેરે મારી બાજી?
Book Production Awards 2026 પ્રકાશન વિભાગે ‘એક્સેલન્સ ઇન બુક પ્રોડક્શન એવોર્ડ્સ ૨૦૨૬’માં ૭ સન્માન જીત્યા શ્રેષ્ઠ પ્રકાશન અને ગુણવત્તા માટે મળી મોટી સિદ્ધિ
Exit mobile version