Site icon News Continuous Bureau | Mumbai

Excise Policy Case: અરવિંદ કેજરીવાલની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, હવે આ દિવસે  વડી અદાલતમાં થશે સુનાવણી..

Excise Policy Case: સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુક્તિ પરનો વચગાળાનો સ્ટે ઉઠાવવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. જો હાઈકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હોય તો અમારે તેમાં દખલ કરવી યોગ્ય નથી. 

Excise Policy Case Arvind Kejriwal To Stay In Jail, Top Court Says Let High Court Pass Order

Excise Policy Case Arvind Kejriwal To Stay In Jail, Top Court Says Let High Court Pass Order

 News Continuous Bureau | Mumbai

Excise Policy Case: દારૂ કૌભાંડ કેસમાં જામીન પર પ્રતિબંધ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal ) ની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાલમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. 

Join Our WhatsApp Channel

Excise Policy Case મુક્તિ પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઇનકાર 

સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુક્તિ પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. જો હાઈકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હોય તો અમારે તેમાં દખલ કરવી યોગ્ય નથી. SCએ કહ્યું, અમે બુધવારે અરજી પર સુનાવણી કરીશું. એએસજી રાજુએ કહ્યું કે મંગળવાર સુધીમાં હાઈકોર્ટનો નિર્ણય આવે તેવી શક્યતા છે.

આ સમાચાર  પણ વાંચો : Parliament Session 2024 : પ્રથમ ગ્રાસે મક્ષિકા, 18મી લોકસભાનું પ્રથમ સત્ર હોબાળો સાથે શરૂ, PM મોદીએ સાંસદ તરીકેના લીધા શપથ.. વિપક્ષે સરકારને આ મુદ્દે ઘેર્યા..

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા હાઈકોર્ટનો નિર્ણય આવવા દો. અમે હાઈકોર્ટનો નિર્ણય લઈશું. તેના પર સિંઘવીએ કહ્યું કે જો ED કોઈપણ આદેશ વિના હાઈકોર્ટમાં જઈ શકે છે અને હાઈકોર્ટ પણ કોઈ કારણ વગર સ્ટે આપી શકે છે તો સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી શકે છે. આ પછી હવે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી 26 જૂને કરશે.

Excise Policy Case આ નિર્ણયને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો

તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલની મુક્તિ પર લગાવવામાં આવેલા વચગાળાના સ્ટેને સુપ્રીમ કોર્ટે પડકાર્યો છે. કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ એ સુપ્રીમ કોર્ટને ED કેસમાં જામીનના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે હટાવવાની વિનંતી કરી હતી. આના પર, SCએ કહ્યું છે કે જો તે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ  અરજી પર કોઈ આદેશ આપે છે, તો તે કેસ માટે પૂર્વગ્રહ હશે.

મહત્વનું છે કે , નીચલી અદાલતે દિલ્હીના કથિત દારૂ નીતિ કેસમાં સીએમ કેજરીવાલને જામીન આપ્યા હતા. આ નિર્ણયને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે જામીન પર સ્ટે મુક્યો હતો. કેજરીવાલે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version