Site icon News Continuous Bureau | Mumbai

Farmers Protest: હરિયાણા પોલીસની મોટી કાર્યવાહી.. ખેડૂત આંદોલનમાં મુશ્કેલી ઉભી કરનારાઓના પાસપોર્ટ અને વિઝા રદ કરવામાં આવશે!

Farmers Protest: પોલીસે હાલ એવા લોકોની ઓળખ કરી લીધી છે. જેઓ ખેડૂતોના આંદોલનના નામે પંજાબથી હરિયાણા આવ્યા હતા અને હિંસા ફેલાવી હતી.

Farmers Protest Big action of Haryana Police.. Passports and visas of those causing trouble in farmers' movement will be canceled!

Farmers Protest Big action of Haryana Police.. Passports and visas of those causing trouble in farmers' movement will be canceled!

News Continuous Bureau | Mumbai 

Farmers Protest: પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતો MSP સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન હરિયાણા પોલીસ ( Haryana Police ) હિંસા અને અરાજકતા ફેલાવનારા ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. પોલીસે પાસપોર્ટ જપ્ત કરવાનો અને ખેડૂતોના આંદોલનમાં ખલેલ પહોંચાડનારા તમામ ખેડૂતોના વિઝા ( Farmers Visa ) રદ કરવાનો હવે નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

મિડીયા રિપોર્ટ મુજબ, પોલીસે હાલ એવા લોકોની ઓળખ કરી લીધી છે. જેઓ ખેડૂતોના આંદોલનના નામે પંજાબથી હરિયાણા આવ્યા હતા અને હિંસા ફેલાવી હતી.

  બેરિકેડ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા આરોપીઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા…

વાસ્તવમાં હરિયાણા પોલીસ દ્વારા બોર્ડર ( Punjab-Haryana Border ) પર લગાવવામાં આવેલા વિશાળ આઈપીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાથી દરેક ચહેરાને કેદ કરીને પાસપોર્ટ ઓફિસને તેના રેકોર્ડ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. હરિયાણા પોલીસ એવા તમામ લોકોની તસવીરો ભારતીય દૂતાવાસને ( Indian Embassy ) મોકલી રહી છે, જેથી તેમના પાસપોર્ટ અને વિઝા કેન્સલ ( Visa cancellation ) કરી શકાય અને તેમની ઓળખ પણ થઈ શકે.

આ સમાચાર પણ વાંચો :  Sandeshkhali Violence: સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખની 55 દિવસ બાદ ધરપકડ, બપોરે 2 વાગે કોર્ટમાં રજૂ કરાશે

શંભુ બોર્ડર પર, ખેડૂતો પોલીસ બેરિકેડ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા આરોપીઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા. તેથી હવે અંબાલા પોલીસ આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. આ માટે પોલીસે મીડિયા સાથે એવા ઘણા લોકોના ફોટા શેર કર્યા છે. જેઓ ખેડૂત આંદોલનના નામે હરિયાણા બોર્ડર પર અશાંતિ અને અરાજકતા ફેલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જે ખેડૂતોએ પોતાની માંગણીઓ માટે દિલ્હી કૂચ બોલાવી છે. તેઓ હરિયાણા-પંજાબ બોર્ડર પર છે. હરિયાણા સરકારે પંજાબ સાથેની સરહદો પર બેરિકેડના અનેક સ્તરો ઉભા કરીને ખેડૂતોનો રસ્તો રોકી દીધો હતો. ત્યારથી, ખેડૂતો શંભુ અને ખાનૌની સરહદ પર પડાવ નાખી ત્યાં જ અટકેલા છે. આ દરમિયાન ખેડૂતોએ બેરિકેડો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો અને પોલીસ સાથે આ અંગે ઘર્ષણ પણ થયું હતું, જેમાં ઘણા ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

US Nuclear Strategy રશિયાચીન સાથે વધતો તણાવ કે અન્ય કારણ? અમેરિકા કેમ બદલી રહ્યું છે પોતાની પરમાણુ નીતિ
Middle East War August US Iran Conflict મિડલ ઈસ્ટ માટે અત્યંત નિર્ણાયક બનશે આ મહિનો, ઓગસ્ટમાં ઈરાનઅમેરિકા મહાયુદ્ધનો આવશે અંત?
Islamic NATO Announcement મક્કામાં રચાયું ‘ઈસ્લામિક નાટો’, પાકિસ્તાનનું પરમાણુ કવચ હવે આ દેશોને પણ મળશે! ત્રણ મુસ્લિમ દેશોની ‘ત્રિપુટી’ એ સહી કર્યા દસ્તાવેજ!
RBI Sovereign Gold Bond Redemption Price ગોલ્ડ બોન્ડ રોકાણકારોની બલ્લેબલ્લે! RBI આપશે આટલા ટકા સુધીનું જબરદસ્ત વળતર!
Exit mobile version