Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂતોના આંદોલન પર સુપ્રીમ કોર્ટે દાખવ્યું કડક વલણ, કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

ખેડૂતોના ધરણાને કારણે દિલ્હી-યુપી બોર્ડર પર રસ્તો બંધ કરવા સામેની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને યુપી સરકારને બે સપ્તાહમાં ઉકેલ શોધવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે એકબીજાને સહકાર આપવો જોઈએ જેથી સામાન્ય લોકો પરેશાન ન થાય. 

સાથે એમ પણ કહ્યું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ પર અવરજવર રોકી ન શકાય.

હવે સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી 20 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાયદાની સામે છેલ્લા 10 મહિના કરતા પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે દિલ્હી તરફ જતા રસ્તાઓ બ્લોક થયા છે તેને પરિણામે લોકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડે છે.

શરુઆતમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું લાગતું હતું પરંતુ હાલમાં આ મામલો લાંબો ખેંચાયો હોવાથી રહીશો ઓ ઉકળી ઉઠ્યાં છે અને રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. 

આ રાજ્યમાં આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે દહીંહાંડીનો કાર્યક્રમ યોજાશે નહીં, રાજ્ય સરકારે લીધો નિર્ણય 

Modi Govt Report Card।પીએમ મોદી સમક્ષ રજૂ થયું તમામ મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ, જાણો કયા મંત્રાલયનું કામ રહ્યું સર્વશ્રેષ્ઠ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Weather Update। અસહ્ય બફારા વચ્ચે ચોમાસાના આગમનના સંકેત, આ ૧૩ રાજ્યો માટે એલર્ટ જાહેર
Cockroach Janta Party। ધ્રુવ રાઠીને પછાડનારી ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સંસ્થાપક મુશ્કેલીમાં! રાતોરાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતાં ડિજિટલ વર્લ્ડમાં હડકંપ
Exit mobile version