Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂતોના આંદોલન પર સુપ્રીમ કોર્ટે દાખવ્યું કડક વલણ, કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

ખેડૂતોના ધરણાને કારણે દિલ્હી-યુપી બોર્ડર પર રસ્તો બંધ કરવા સામેની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને યુપી સરકારને બે સપ્તાહમાં ઉકેલ શોધવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે એકબીજાને સહકાર આપવો જોઈએ જેથી સામાન્ય લોકો પરેશાન ન થાય. 

સાથે એમ પણ કહ્યું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ પર અવરજવર રોકી ન શકાય.

હવે સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી 20 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાયદાની સામે છેલ્લા 10 મહિના કરતા પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે દિલ્હી તરફ જતા રસ્તાઓ બ્લોક થયા છે તેને પરિણામે લોકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડે છે.

શરુઆતમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું લાગતું હતું પરંતુ હાલમાં આ મામલો લાંબો ખેંચાયો હોવાથી રહીશો ઓ ઉકળી ઉઠ્યાં છે અને રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. 

આ રાજ્યમાં આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે દહીંહાંડીનો કાર્યક્રમ યોજાશે નહીં, રાજ્ય સરકારે લીધો નિર્ણય 

Indian Weapon Demand બ્રહ્મોસથી લઈને આકાશતીર સુધી, દુનિયામાં વધી ભારતીય હથિયારોની ધાક, શું ડિફેન્સ સેક્ટરમાં કિંગ બનશે ભારત?
Global Crude Oil Stock યુએસઈરાન તણાવથી ક્રૂડ ઓઈલ 6% મોંઘું જાણો વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક?
Amit Shah Devendra Fadnavis Meeting અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દિલ્હીમાં બંધ બારણે બેઠક, ૩ કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર થયું મંથન
West Bengal Baruipur police encounter પ. બંગાળમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં રેપમર્ડરના આરોપીનું એન્કાઉન્ટર, માનવાધિકાર સંગઠનોએ ઉઠાવ્યા સવાલ
Exit mobile version