Site icon News Continuous Bureau | Mumbai

Farooq Abdullah Attack: જાણો કોણ છે આરોપી કમલ સિંહ? પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર હુમલો કરનાર વ્યક્તિ ના ભૂતકાળ અને હેતુ વિશે થયો મોટો ખુલાસો

"હું તેમને છેલ્લા 20 વર્ષથી મારવા માંગતો હતો" – ધરપકડ બાદ આરોપીએ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો ખુલાસો; જમ્મુના ગ્રેટર કૈલાશમાં બની ઘટના

Farooq Abdullah Attack જાણો કોણ છે આરોપી કમલ સિંહ પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર

Farooq Abdullah Attack જાણો કોણ છે આરોપી કમલ સિંહ પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર

News Continuous Bureau | Mumbai
Farooq Abdullah Attack જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લા બુધવારે મોડી રાત્રે જમ્મુના ગ્રેટર કૈલાશ સ્થિત રોયલ પાર્કમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ એ તેમની અત્યંત નજીક જઈને પિસ્તોલ તાણી દીધી હતી. સુરક્ષામાં તૈનાત NSG કમાન્ડો અને પોલીસકર્મીઓએ તરત જ હુમલાખોરને દબોચી લીધો હતો અને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં ફારૂક અબ્દુલ્લા સુરક્ષિત છે, પરંતુ ડેપ્યુટી સીએમ સુરિંદર ચૌધરીને ગોળીના છરા વાગતા નજીવી ઈજા થઈ હોવાના અહેવાલ છે.હુમલાખોરની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે, જે જમ્મુના જૂની મંડી વિસ્તારનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલી બંદૂક જપ્ત કરી લીધી છે.

કોણ છે હુમલાખોર કમલ સિંહ?

પોલીસ પૂછપરછમાં આરોપી વિશે નીચે મુજબની વિગતો સામે આવી છે:
રહેઠાણ: કમલ સિંહ જામવાલ જમ્મુના ઓલ્ડ સિટી (જૂની મંડી) વિસ્તારમાં રહે છે.
ઉંમર: તેનો જન્મ ૧૯૬૩માં થયો હતો, એટલે કે તેની ઉંમર અંદાજે ૬૩ વર્ષ છે.
આજીવિકા: જમ્મુના ઓલ્ડ સિટી વિસ્તારમાં તેની પોતાની ઘણી દુકાનો છે અને તે આ દુકાનોના ભાડા દ્વારા પોતાનું જીવન વિતાવે છે.
હથિયાર: જે બંદૂકથી તેણે ફાયરિંગ કર્યું તે તેનું લાયસન્સ વાળું હથિયાર હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

“20 વર્ષથી મારવા માંગતો હતો” – આરોપીનો હેતુ

હુમલાખોરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે ફારૂક અબ્દુલ્લાની હત્યા કરવી એ તેનો ‘પર્સનલ એજન્ડા’ હતો. તેણે કહ્યું કે, “હું છેલ્લા ૨૦ વર્ષથી ફારૂક અબ્દુલ્લાને મારવાની તકની રાહ જોતો હતો.” જોકે, આ પાછળનું ચોક્કસ કારણ શું છે અને શું તે કોઈ સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Trump Trade War: ભારત અને ચીન વિરુદ્ધ અમેરિકાની કડક કાર્યવાહી, તોતિંગ ટેરિફ લાગવાની શક્યતા વચ્ચે ભારતીય નિકાસકારોમાં ચિંતા.

સુરક્ષામાં મોટી ચૂક પર ઉમર અબ્દુલ્લાના સવાલ

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “અલ્લાહ રહેમદિલ છે, મારા પિતા એક મોટા જોખમમાંથી બચી ગયા છે.” તેમણે સવાલ ઉઠાવ્યો કે Z+ અને NSG સુરક્ષા ધરાવતા પૂર્વ મુખ્યમંત્રીની આટલી નજીક કોઈ સશસ્ત્ર વ્યક્તિ કેવી રીતે પહોંચી શકે? જમ્મુ-કાશ્મીરના મંત્રી સતીશ શર્માએ પણ આને સુરક્ષામાં મોટી ચૂક ગણાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

CCEA Approves 3 Railway Projects ભારતીય રેલવેની કાયાપલટ થશે! કેન્દ્ર સરકારે ₹૧૦,૭૮૩ કરોડના મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી, આ ૫ રાજ્યોમાં કનેક્ટિવિટી ઝડપી બનશે
Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Exit mobile version