Site icon News Continuous Bureau | Mumbai

FASTag Update: 1 ઓગસ્ટથી લાગૂ થશે ફાસ્ટેગને લગતા આ નવા નિયમો, શું થશે ફેરફાર.. જાણો વિગતે..

FASTag Update: 1 ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત સેવાઓ પર નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે વાહન લીધા બાદ 90 દિવસમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર ફાસ્ટેગ નંબર પર અપલોડ કરવાનો રહેશે. જો નિર્ધારિત સમયની અંદર નંબર અપડેટ નહીં થાય તો તેને હોટલિસ્ટમાં મૂકવામાં આવશે

FASTag Update These new rules related to FASTag will be applicable from August 1, what will be the change.. Know details..

FASTag Update These new rules related to FASTag will be applicable from August 1, what will be the change.. Know details..

News Continuous Bureau | Mumbai 

FASTag Update: જુલાઈ મહિનો પૂરો થઈ રહ્યો છે અને ઓગસ્ટથી કેટલાક નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આમાંનો એક ફેરફાર FASTag સંબંધિત છે. જો તમે કાર ચલાવો છો તો તમને ફાસ્ટેગ વિશે ખબર જ હશે.  પરંતુ NPCIએ ફાસ્ટેગને લઈને કેટલીક  નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે આ નિયમો પહેલાથી જ અમલમાં છે, પરંતુ ઓક્ટોબરમાં ફાસ્ટેગના કેવાયસી અંગેનો નિયમ નવો છે અને 1 ઓગસ્ટથી તેનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, ફાસ્ટેગ ટોલ ટેક્સ   પર વાહનોની ભીડ ઘટાડવા માટે બનાવવામાં આવ્યું હતું, જેના દ્વારા ટોલ ટેક્સ ( Toll Tax ) પર ફાસ્ટેગ દ્વારા ટોલ કાપવામાં આવે છે, પરંતુ કેટલાક નિયમો છે, જે 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવી રહ્યા છે, જે તમારે જાણવા જોઈએ. 

Join Our WhatsApp Channel

NPCIની માર્ગદર્શિકા અનુસાર, ફાસ્ટેગ સેવાઓ આપતી કંપનીઓ પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે. 31મી ઓક્ટોબર સુધીમાં પાંચ અને ત્રણ વર્ષ જૂના તમામ ફાસ્ટેગનું KYC કરાવવું હવે જરૂરી રહેશે. નવીનતમ અપડેટ એ છે કે કંપનીઓએ 1 ઓગસ્ટથી આ માટે KYC ( FASTag  KYC  )  માટેની પ્રક્રિયા શરૂ કરવાના છે. 

FASTag Update: હવે કંપનીઓ પાસે NPCIની તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય રહેશે…

હવે કંપનીઓ પાસે NPCIની તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય રહેશે. આ દરમિયાન કંપનીઓએ 3-5 વર્ષ જૂના ફાસ્ટેગ માટે KYC કરાવવું પડશે. આ કંપનીઓએ 31 ઓક્ટોબર સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે. તો ફાસ્ટેગ ધરાવતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેમણે KYC નથી કરાવ્યું તેઓ 1લી ઓગસ્ટથી આ કાર્ય કરી શકશે. 

આ સમાચાર પણ વાંચો : RSS Dharavi: ધારાવીમાં RSS કાર્યકર અરવિંદ વૈશ્યની હત્યા, અંતિમયાત્રા પર પથ્થરમારો થતાં ધારાવીમાં તંગદીલીનું વાતાવરણ.. જાણો વિગતે.

આ નિયમો 1 ઓગસ્ટથી લાગુ થઈ રહ્યા છે

Ethanol Blending Program પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનો કાર્યક્રમ એક ‘ચાલુ પ્રયોગ’ છે કેન્દ્ર સરકાર
J&K Tourism અમરનાથ યાત્રા થશે અત્યંત સરળ આગામી વર્ષથી શરૂ થશે રોપવેનું કામ; માત્ર ૪૦ મિનિટમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન
Banking News સાવધાન! શું ૧ જુલાઈથી બંધ થઈ જશે ૨૦૦૫ પહેલાંની ચલણી નોટો? કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ
Ayodhya Ram Mandir રામ મંદિર ચોરી વિવાદ પર ચંપત રાયે મૌન તોડ્યું જવાબદારી સ્વીકારી પણ ભ્રષ્ટાચારના આરોપો નકાર્યા
Exit mobile version