Site icon News Continuous Bureau | Mumbai

સરકારી મંજૂરી વિના 300 કામદારો વાળી કંપનીઓ હાયર એન્ડ ફાયર કરી શકશે. હડતાળ માટે નોટીસ આપવી પડશે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 સપ્ટેમ્બર 2020

બુધવારે સંસદના ચોમાસુ સત્રમાં ત્રણ શ્રમ સુધાર બીલને સંસદમાં મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ અને સોશિયલ સિકયુરીટી કોડને રાજ્યસભામાં પસાર કરાતા,  સંસદની મંજૂરી મળી ગઈ છે. નોંધનીય છે કે આ ત્રણેય બિલ લોકસભામાંથી પહેલાં જ પાસ થઈ ચૂક્યા હતા.

 શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે નવા શ્રમ કાનૂન મુજબ 300 કર્મચારીથી ઓછી સંખ્યા ધરાવતા ઉદ્યોગો, સરકારની મંજૂરી વગર જ કર્મચારીની છટણી તેમજ ભરતી કરી શકશે..  ઉલ્લેખનીય છે કે 16 રાજ્યોએ તો પહેલેથી જ આ યોજના અમલમાં મૂકી દીધી છે. ઉપરાંત નવા વિધેયક મુજબ કોઈપણ સંગઠન કે કર્મચારીઓએ હડતાળ પાડવાના 60 દિવસ પહેલા કંપનીને નોટિસ આપવાની રહેશે. આમ નોટિસ આપ્યા વગર કર્મચારીઓ કે યુનિયન સંગઠનો હડતાલ પર જઈ શકશે નહીં..

E20 Petrol Protest – E20 પેટ્રોલ મુદ્દે નિતિન ગડકરી સામે યુવક કોંગ્રેસનો વિરોધ, નાગપુરમાં ઘેરાવનો પ્રયાસ
Bankipur Assembly Byelection Result બાંકીપુરમાં પ્રશાંત કિશોરની રણનીતિ સુપરહિટ! ભાજપ બહુમતથી દૂર, RJD ના પણ સૂપડા સાફ
Abhijit Dipke Cockroach Janata Party Meeting કોકરોચ જનતા પાર્ટીની ૫ ઓગસ્ટે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક, અભિજીત દીપકે ભવિષ્યની રણનીતિ અંગે કરશે ચર્ચા
US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Exit mobile version