Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: મોદી-નેતન્યાહુની મુલાકાત દિલ્હી બ્લાસ્ટના પડઘા વચ્ચે બે નેતાઓ મળશે, આતંકવાદ પરની કડક નીતિથી પાકિસ્તાન ટેન્શનમાં!

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વચ્ચે તાજેતરમાં ફોન પર વાતચીત થઈ, ત્યારબાદ ઇઝરાયેલના PMO એ દાવો કર્યો છે કે બંને નેતાઓ ટૂંક સમયમાં મુલાકાત કરશે. આ મુલાકાતને આતંકવાદ વિરુદ્ધના સંયુક્ત પ્લાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે

PM Modi મોદી-નેતન્યાહુની મુલાકાત દિલ્હી બ્લાસ્ટના પડઘા વચ્ચે બે નેતાઓ મળશે

PM Modi મોદી-નેતન્યાહુની મુલાકાત દિલ્હી બ્લાસ્ટના પડઘા વચ્ચે બે નેતાઓ મળશે

News Continuous Bureau | Mumbai
PM Modi ભારત અને ઇઝરાયેલ બંનેએ આતંકવાદ વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, ત્યારબાદ ઇઝરાયેલી વડા પ્રધાન કાર્યાલય (PMO) એ દાવો કર્યો છે કે બંને નેતાઓ ટૂંક સમયમાં મુલાકાત કરશે. દિલ્હી બ્લાસ્ટ પછી આ બંને નેતાઓ વચ્ચેની પ્રથમ મુલાકાત હશે.

ઇઝરાયેલી PMO દ્વારા જાહેરાત

ઇઝરાયેલી PMO એ ફોન પર થયેલી આ વાતચીત વિશે સોશિયલ મીડિયા પર નિવેદન બહાર પાડ્યું કે ,”હૂંફાળી અને મૈત્રીપૂર્ણ વાતચીતના અંતે બંને નેતાઓ ખૂબ જ જલ્દી મળવા માટે સંમત થયા.” આ મુલાકાત લાંબા સમયથી અપેક્ષિત હતી અને ઇઝરાયેલના મંત્રીઓ દ્વારા ભારતમાં તાજેતરમાં થયેલા ઉચ્ચ-સ્તરીય પ્રવાસો પછી યોજાશે.

Join Our WhatsApp Channel

આતંકવાદ સામે સંયુક્ત મોરચો

ભારત અને ઇઝરાયેલ બંને આતંકવાદનો ભોગ બનેલા દેશો છે અને બંને નેતાઓ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. ફોન પરની વાતચીત દરમિયાન પણ બંને નેતાઓએ આતંકવાદ વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું હતું.બંને દેશો આતંકવાદ પર બેવડું વલણ અપનાવતા દેશોની આકરી ટીકા કરે છે. આતંકવાદનો સામનો કરવા માટે ભારત અને ઇઝરાયેલ કોઈ નક્કર અને સંયુક્ત યોજના બનાવી શકે છે. આ કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચવો નિશ્ચિત છે.

આ સમાચાર પણ વાંચો : Hydrogen Train: હાઇડ્રોજન ટ્રેનનો જમાનો દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન હવે દોડવા તૈયાર, જાણો આ ‘ગ્રીન ટ્રેન’ની વિશેષતાઓ!

વ્યૂહાત્મક ભાગીદારી અને FTA

ભારત અને ઇઝરાયેલ વચ્ચે ગાઢ વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને દેશો મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષરની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. ઇઝરાયેલના નાણા મંત્રીના ભારત પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય નિવેશ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.ઇઝરાયેલે દિલ્હીમાં થયેલા વિસ્ફોટોને કારણે નેતન્યાહુનો પ્રવાસ ટળી જવાની અફવાઓને નકારી કાઢી છે. ઇઝરાયેલે ભારતની સુરક્ષા વ્યવસ્થા પર “સંપૂર્ણ વિશ્વાસ” વ્યક્ત કર્યો છે.

Asaram। આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીનનો સમયગાળો લંબાવ્યો
PM Narendra Modi। કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીની વિશેષ પૂજા ડમરુ અને ત્રિશૂળ ભેટ આપી કરાયું અભિવાદન.
Ghaziabad। ગાઝિયાબાદની પોશ સોસાયટીમાં ભીષણ આગ 9માથી 13મા માળ સુધી ફેલાઈ આગની જ્વાળાઓ, મચી અફરાતફરી
Ganga Expressway। દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે ખુલ્લો ગંગા એક્સપ્રેસવે પર આજથી વાહનવ્યવહાર શરૂ
Exit mobile version