Site icon

Fishing Harbor Fire: વિશાખાપટ્ટનમના ફિશિંગ હાર્બરમાં સિલિન્ડર ફાટ્યું, 25થી વધુ બોટ સળગીને રાખ.. જુઓ વિડીયો..

Fishing Harbor Fire: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ બંદરમાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદર પર પાર્ક કરેલી 25 યાંત્રિક ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી.

Fishing Harbor Fire : Massive fire breaks out at Visakhapatnam fishing harbour

Fishing Harbor Fire :Massive fire breaks out at Visakhapatnam fishing harbour

News Continuous Bureau | Mumbai

 Fishing Harbor Fire: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) શહેરમાં સ્થિત ફિશિંગ બંદરમાં સોમવારે (20 નવેમ્બર) એક મોટો અકસ્માત થયો હતો. અહીંના ફિશિંગ બંદર (Fishing Harbor) પર ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી, જેના કારણે બંદર પર પાર્ક કરેલી 25 યાંત્રિક ફિશિંગ બોટ (Fishing Boat) બળીને રાખ થઈ ગઈ હતી. આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બોટ સળગતી જોઈ શકાય છે.

Join Our WhatsApp Community

આગ લાગ્યા બાદ બંદર પર હાજર સ્થાનિક માછીમારોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. માછીમારોએ જણાવ્યું હતું કે આગ એક બોટમાંથી શરૂ થઈ હતી, જે ટૂંક સમયમાં અન્ય બોટમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કારણ કે જે બોટમાં આગ લાગી હતી તેની આસપાસ અન્ય બોટ લાંગરવામાં આવી હતી. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. મોટાભાગની બોટો લાકડાની હતી અથવા તો તેમાં પ્લાસ્ટિક હતી જેના કારણે આગ વધુ ફેલાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના હિંગોલીમાં ધરતી ધણધણી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ.. જાણો વિગતે..

  આગને કારણે 40 જેટલી ફિશિંગ બોટને નુકસાન…

વાસ્તવમાં આ આગની ઘટના પાછળ એલપીજી સિલિન્ડરનો હાથ છે. બોટમાં રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર ફાટવાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. સિલિન્ડરના વિસ્ફોટ પછી, આગ શરૂ થઈ હતી, જેણે થોડી જ વારમાં 25 બોટનો નાશ કર્યો હતો. જો કે, એલપીજી સિલિન્ડર (LPG Cylinder) માં વિસ્ફોટ કયા કારણોસર થયો તે સમજવાના પ્રયાસો ચાલુ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કે આનંદ રેડ્ડીએ જણાવ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે ચારથી વધુ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. માછીમારોએ જણાવ્યું કે આગને કારણે 40 જેટલી ફિશિંગ બોટને નુકસાન થયું છે. દરેક બોટની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા હતી. પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ તેઓ આગનું ચોક્કસ કારણ શોધી કાઢશે.

Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
C.P. Radhakrishnan: તમિલનાડુના મોદીનો મેજિક ચાલ્યો! RSSના સ્વયંસેવકથી ઉપરાષ્ટ્રપતિ સુધી રાધાકૃષ્ણનની આવી રહી સફર
C.P. Radhakrishnan: ઉપપ્રમુખ તરીકે સીપી રાધાકૃષ્ણનની સત્તા, જાણો તેમની જવાબદારીઓ, સુવિધાઓ વિશે
Exit mobile version