જમ્મુ એરપોર્ટ પાસે ગઈકાલે થયેલા ડ્રોન હુમલાના એક અઠવાડિયા પહેલાં અગમચેતીના પગલાં રૂપે મલાડમાં નૌકાદળના મથક આઈએનએસ હમલા ઉપરથી ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવી દીધી હતી.
એક અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવેલો આ પ્રતિબંધ યોગ્ય ઠર્યો છે.
હવે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તમામ લશ્કરી મથકો અને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો પરથી પણ ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવવામાં આવે એવી પૂરી શક્યતા છે.
