Site icon

કોરોનાની ગંભીર સ્થિતિને પગલે વડા પ્રધાન મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક 

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “કોરોનાને માત આપવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, કોરોના પ્રત્યે યોગ્ય વર્તન અને રસીકરણને ગંભીરતા અને કટિબદ્ધતા સાથે લેવાની જરૂર છે.”

મહામારીની હાલની પરિસ્થિતિ અને રસીકરણની સ્વવ્સ્થાની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં કોરોનાને ડામવા જન ભાગીદારી અને જન આંદોલન ચાલુ જ રહેવું જોઈએ. તે ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ અને છતીસગઢમાં વધતા કેસને પગલે કેન્દ્રની વિશેષ ટીમ આ રાજ્યોમાં મોકલવામાં આવશે.

દેશમાં પ્રથમ વખત 24 કલાકની અંદર એક લાખથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાયા. જાણો નવા આંકડા અહીં…

કોવિડ-૧૯ના વ્યવસ્થાપન માટે લોકોમાં જાગૃતિ અને તેમનો સહભાગ અત્યંત આવશ્યક છે. વડા પ્રધાનના કાર્યાલયની યાદી પ્રમાણે દેશમાં ૬ એપ્રિલ ૨૦૨૧થી ૧૪ એપ્રિલ ૨૦૨૧ દરમિયાન એક ખાસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત માસ્કના ૧૦૦% વપરાશ, વ્યક્તિગત આરોગ્ય અને જાહેર સ્થળોએ તથા કાર્ય સ્થળોએ સ્વચ્છતા અને તેને લગતી સુવિધા અને કોરોના પ્રત્યે ઉચિત અભિગમ રાખવા પર ભાર આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૨૪ કલાકમાં ભારતમાં ૧,૦૩,૫૫૮ કોરોના કેસ મળ્યા છે જે અત્યાર સુધીમાં નોંધાયેલ સૌથી મોટો આંકડો છે. 

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version