Site icon

વડાપ્રધાન મોદીએ આજે કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત પર પંજાબનું રાજકારણ ગરમ થયું. સિદ્ધુ અને અમરિંદરે આ વાત કહી. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

આજે સવારે વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી લીધા છે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ પંજાબમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ભૂતપૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ પર્વના અવસર પર ખેડૂતોને મોટી ભેટ આપી છે.

આજે સવારે રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેશે. કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનમાં પંજાબ મુખ્ય મથક બન્યું. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ગુરુ પર્વ પર પીએમની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ગુરુ નાનક જયંતિના પવિત્ર અવસર પર દરેક પંજાબીની માગણીઓ સ્વીકારવા અને ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર કૃષિના વિકાસ માટે સાથે મળીને કામ કરતી રહેશે.

પાંચ રાજયોની ચૂંટણીમાં હારવાને ડરે કૃષિ કાયદો પાછો ખેંચવાની મોદીએ કરી જાહેરાત, કોંગ્રેસનો દાવો જાણો વિગત.

જ્યારે કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ગુએ આને ખેડૂત સંગઠનોની જીત ગણાવી હતી. જો કે આજે પણ તેઓ પંજાબ સરકારને સલાહ આપવાનું ચૂક્યા નથી. સિદ્ધુએ ટ્વીટ કર્યું કે કાળા કાયદાને રદ્દ કરવું એ સાચી દિશામાં એક પગલું છે. કિસાન મોરચાના સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી છે. રોડ મેપ દ્વારા પંજાબમાં ખેતીને પુનર્જીવિત કરવી એ પંજાબ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.

ભારતીય કિસાન યુનિયન ઉગરાહાના પ્રમુખ જોગીન્દર સિંહ ઉગરાહે મીડિયાને કહ્યું હતું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મીડિયામાં આવી રહેલું નિવેદન સાચુ હોય તો તે સારું છે, પરંતુ તે પહેલા થવું જોઈતું હતું. વડાપ્રધાને ખેડૂતોની તરફેણમાં વીજળી બિલ અને MSP અંગે નિર્ણય લેવો જોઈએ અને તેનું સમાધાન કરવું જોઈએ. આ ખેડૂતોના સંઘર્ષની જીત છે. શહીદ ખેડૂતોને યાદ કરતાં તેમણે કહ્યું કે ખેડૂતોના હિતોની રક્ષા માટે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે.

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version