Site icon News Continuous Bureau | Mumbai

સરકારની ચૂંટણી લક્ષી યોજનાઓથી બચીને રહેજો. નહીં તો રાજ્યને શ્રીલંકાની માફક કંગાળ થતા કોઈ નહી રોકી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત. પણ તેઓએ આવું શા માટે કહ્યું? જાણો અહીં.

 News Continuous Bureau | Mumbai

હાલ ભારતમાં અનેક રાજ્યો એવા છે જે કંગાળ થવાના કિનારા પર ઊભા છે. આવા રાજ્યોની સૂચિમાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ, તેલંગાણા જેવા રાજ્ય મોખરે છે. વાત એમ છે કે આ તમામ રાજ્યોની સરકારો પોતાના રાજકીય હેતુ સાધવા માટે જનતાને મફતમાં વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના સચિવની બેઠકને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે જે રાજ્ય વધુ સમય સુધી મફત માં સુવિધાઓ આપવાની વાત કરશે તે રાજ્યને ગરીબીમાં ધકેલી દેશે. પરિણામ સ્વરૂપ અનેક રાજ્યો ની હાલત શ્રીલંકા જેવી થશે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સચિવોને હાકલ કરી હતી કે તેઓ સમજી વિચારીને સરકારી યોજનાઓ લાગુ કરે જેથી રાજ્યની તિજોરી પર વધુ બોજો ન પડે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

Bengal Exit Poll 2026। દીદીની વિદાય કે ફરી વાપસી? પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલના આંકડાએ સૌને ચોંકાવ્યા, TMC માટે જોખમની ઘંટડી
DelhiMumbai Expressway। દિલ્હીમુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત ચાલુ કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા
Rule Change May 2026। 1 મેથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો બદલાશે
Bengal Election 2026। બંગાળમાં વોટિંગનો પાવર! રેકોર્ડતોડ ૯૨.૨૫% મતદાનથી રાજકીય પક્ષોના સમીકરણો બદલાયા, જાણો શું કહે છે આ આંકડા
Exit mobile version