Site icon News Continuous Bureau | Mumbai

Ganga River Water : પવિત્ર ગંગા નદીનું પાણી વર્ષો સુધી કેમ નથી થતું ખરાબ? આ છે કારણ; 12 વર્ષના સંશોધનમાં ખુલાસો થયો…

Ganga River Water : ભારત અને વિદેશના વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ગંગા નદીનું પાણી ઘણા વર્ષો સુધી રાખવાથી બગડતું નથી તેનું કારણ શું હોઈ શકે. વૈજ્ઞાનિકો એ પણ શોધી રહ્યા હતા કે દર વર્ષે લાખો લોકો અનેક ધાર્મિક પ્રસંગોએ ગંગામાં ડૂબકી લગાવે છે, છતાં ગંગા નદીમાંથી કોઈ રોગ કે રોગચાળો ફેલાતો નથી.

Ganga River Water 12 years of research on Ganga water remains clean because of three elements

Ganga River Water 12 years of research on Ganga water remains clean because of three elements

News Continuous Bureau | Mumbai 

Ganga River Water : ભારતની સર્વ નદીઓમાં અત્યંત પવિત્ર મનાતી નદી એટલે ગંગા… ગંગા નદી ભારતીયો માટે જેટલી જીવનદાયી છે તેટલી જ ધાર્મિક રીતે પણ મહત્વપૂર્ણ છે. ગંગા નદીનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં છે. ગંગાનું પાણી ક્યારેય પ્રદૂષિત થતું નથી, પરંતુ પ્રશ્ન એ છે કે દર વર્ષે લાખો ભક્તો ગંગામાં ડૂબકી લગાવે છે તેમ છતાં તેનું પાણી સ્વચ્છ કેવી રીતે રહે છે?

Join Our WhatsApp Channel

હિમાલયમાંથી નીકળતી ગંગા નદી હિન્દુઓનું પૂજા સ્થળ છે. ગંગાનું પાણી ઘણા મહિનાઓ સુધી સંગ્રહિત કરી શકાય છે. તે ખરાબ થતું નથી. એટલું જ નહીં, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ધાર્મિક તહેવારો દરમિયાન સ્નાન કરે છે, છતાં તેના કારણે કોઈ રોગચાળો કે બીમારી ફેલાતી નથી. એનું કારણ છે તેમાં રહેલા ત્રણ તત્વો, જેના કારણે તે સ્વચ્છ રહે છે.

Ganga River Water : પોતાને સ્વચ્છ રાખવાની ક્ષમતા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિકોએ ગંગા પર સંશોધન કર્યું. જેમાં જાણવા મળ્યું કે ગંગાના પાણીમાં પોતાને સ્વચ્છ રાખવાનો ગુણ છે તે પ્રકાશમાં આવ્યું. ગંગાના પાણીમાં મોટી માત્રામાં ‘બેક્ટેરિયોફેજ’ હોય છે, જે ગંગાના પાણીને પ્રદૂષિત થતા અટકાવે છે. આ સંશોધન કેન્દ્ર સરકારના ‘સ્વચ્છ ગંગા મિશન’ હેઠળ NIRI સંશોધક ડૉ. કૃષ્ણા ખૈરનારના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધન માટે ગંગાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી હતી. આમાંથી, પહેલું ગૌમુખથી હરિદ્વાર, બીજું હરિદ્વારથી પટણા અને ત્રીજું પટણાથી ગંગાસાગર સુધી.

Ganga River Water :50 અલગ અલગ સ્થળોએથી નમૂનાઓ

NIRI સંશોધક ડૉ. કૃષ્ણા ખૈરનાર એ જવાબ આપ્યો છે. સંશોધકોએ 50 અલગ અલગ સ્થળોએથી ગંગાના પાણી અને નદીના પટમાંથી રેતી અને માટીના નમૂના એકત્રિત કર્યા. તેમણે કહ્યું કે સંશોધન માં અમને જાણવા મળ્યું છે કે ગંગા નદીમાં સ્વ-શુદ્ધિકરણના ગુણધર્મો છે. સંશોધકોએ ગયા કુંભ મેળા દરમિયાન પણ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. અમને ગંગાના પાણીમાં બેક્ટેરિયોફેજ મળ્યા, જે પાણીમાં રહેલા જંતુઓનો નાશ કરે છે.

 Ganga River Water :ખૂબ વધારે ઓક્સિજન

કૃષ્ણા ખૈરનરે વધુમાં જણાવ્યું હતું કે  ગંગાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધારે છે. ગંગાના પાણીમાં ઓક્સિજનનું સ્તર પ્રતિ લિટર 20 મિલિગ્રામ સુધી જોવા મળ્યું. આ સાથે, ટેરપિન નામનું ફાયટોકેમિકલ પણ મળી આવ્યું. આ ત્રણ સિદ્ધાંતો ગંગાના પાણીને શુદ્ધ રાખે છે. ખૈરનાર કહે છે કે ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી.

આ સમાચાર પણ વાંચો : ભારે વિરોધ બાદ એક્શનમાં આવ્યું કિન્નર અખાડા, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણ સામે કરી આ મોટી કાર્યવાહી

Ganga River Water : ફક્ત ગંગા નદીમાં જ ઉપલબ્ધ

એટલું જ નહીં, સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે કે શું આ સિદ્ધાંતો ફક્ત ગંગા નદીમાં જ છે, જેમાં પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા છે. ગંગામાં રહેલા ગુણધર્મો અન્ય નદીઓમાં પણ છે કે કેમ? તે જાણવા માટે યમુના અને નર્મદા નદીઓના પાણી પર પણ સંશોધન કરવામાં આવ્યું હતું. જોકે, એ વાત સામે આવી કે ગંગાના પાણીમાં રહેલા તત્વો આ નદીઓના પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં છે.

Ganga River Water :ગંગા પર સંશોધન 12 વર્ષ સુધી ચાલ્યું

હાલમાં, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. મહાકુંભ પહોંચ્યા પછી, લાખો શ્રદ્ધાળુઓ દરરોજ ગંગા સ્નાન કરી રહ્યા છે, પરંતુ ગંગાનું પાણી સ્નાનથી પાંચ કિલોમીટર દૂર ગયા પછી જ શુદ્ધ બને છે. ગંગા નદીમાં પોતાને શુદ્ધ કરવાનો ગુણ છે. એટલા માટે ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી. જણાવી દઈએ કે નાગપુરના સંશોધકોએ 12 વર્ષની મહેનત અને સંશોધન દ્વારા આ શોધ કરી છે.

 

 

Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Lok Sabha Anti Paper Leak Bill Passed Debate ગૃહમાં ઘમાસાણ અને બિલ પાસ એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ અને સરકાર આમનેસામને!
Exit mobile version