Site icon News Continuous Bureau | Mumbai

ઘાટકોપર વાંદરાઓથી ત્રસ્ત, જીવદયાપ્રેમીઓ ખાવાનું નાખે છે અને વાંદરાઓ વિસ્તાર છોડતા નથી; જાણો મુંબઈના ઘાટકોપરના હાલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈના ઘાટકોપર અને વિદ્યાવિહારમાં વાંદરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. એને પગલે લોકો અને ખસ કરીને બાળકો ધોળે દિવસે પણ બહાર નીકળતાં ગભરાવા લાગ્યાં છે. વાંદરાઓના આ ત્રાસથી બચવા લોકોએ જાળી બેસાડવાનો વારો આવ્યો છે અને આખો દિવસ બારી-બારણાં બંધ રાખવાં પડે છે. બીજી તરફ જીવદયાપ્રેમીઓ આ વાંદરાઓનેસતત ખોરાક પૂરો પાડે છે, એથી વાંદરાઓ અહીંથી જવાનું નામ લેતા નથી.

વાંદરાઓ માટે આ વિસ્તાર એવો પોતીકો બની ગયો છે કે વાંદરાઓ ગમેત્યારે કોઈના પણ ઘરમાં ઘૂસી કિચનમાંથી મનપસંદ વસ્તુ ચટ કરી જાય છે. ઘાટકોપરના પ્રમોદ મહાજન ગાર્ડન પાસે પણ અવારનવાર વાંદરાઓ તમાશો કરે છે. ઘણા લોકો બાળકો સાથે આ જોવા નીકળી પડે છે, તો બીજી તરફ બાઇક પર પસાર થતા લોકો આ વાંદરાથી ખૂબ ડરે છે, કારણ કે વાંદરા બાઇકની પાછળ દોડે છે.

પર્યાવરણ : તાનસા અભયારણ્યમાંથી સાગનાં વૃક્ષોની તસ્કરી, 70વૃક્ષ ગાયબ થયાં

વાંદરાઓ આસપાસની સોસાયટીમાં રમતાં બાળકોને અને મહિલાના પગ પકડી લે છે, તો ઘણીવાર નખ મારીને છૂ થઈ જાય છે. વાંદરાને ભગાડવા માટે લોકોએ વગર દિવાળીએ ઘરમાં ફટાકડા રાખવાની શરૂઆત કરી છે. વાંદરાઓ જો આતંક મચાવે તો ફટાકડા ફોડી તેમને ભગાડવામાં આવે છે. લોકોએ ઘણીવાર વન વિભાગમાં પણ આ વિશે ફરિયાદ નોંધાવી છે, પરંતુ તેમના તરફ હજી આ વાંદરાઓને પકડવા કોઈ આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે માનવોએ જંગલ તોડીને સિમેન્ટ કૉન્ક્રીટનાં બિલ્ડિંગો બાંધ્યાં છે,એથી આ વાંદરાઓનું ઘર છીનવાયું છે એટલે તેઓ માનવવસ્તીમાં રહેવા આવી ગયા છે. ઉપરાંત જીવદયાપ્રેમીઓ તેમને સમયસર ખાવાનું આપતા હોવાથી તેઓ અહીંથી જવાનું નામ લેતા નથી. જુઓ વીડિયો.

 

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version