Site icon News Continuous Bureau | Mumbai

રાત એક રંગ અનેક : ટીકૈત રડી પડ્યા, એક ને લાફો મારી દીધો. પોલીસ પહોંચી. ઘણું બધું થયું. જાણો અહીં ગતરાત્રે ખેડૂત આંદોલન નું શું થયું.. માત્ર એક ક્લિક પર બધું જ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

Join Our WhatsApp Community

29 જાન્યુઆરી 2021

ગતરાત્રે દિલ્હી પોલીસે બુરાડી મેદાનમાંથી આંદોલનકારી ખેડૂતોને ખસેડી નાખ્યા. અહીં થી ૩૦ જેટલા ખેડૂત સિંધુ સીમા પર જતા રહ્યા જ્યારે કે 15 ને હિરાસતમાં લેવામાં આવ્યા.

બીજી તરફ ઉત્તરપ્રદેશના એક ખેડૂત સંગઠન અને પોતાનું આંદોલન સમાપ્ત કર્યું. તેમજ બીજા ખેડૂત સંગઠન અને સરકાર સાથે વાતચીત નો રસ્તો અપનાવ્યો. કિસાન સંગઠન ભારતીય કિસાન યુનિયનને આંદોલન થી અલગ થયું.

હવે બધાની નજર ગાઝીપુર બોર્ડર પર સ્થિર થઈ ગઈ છે. ગત રાત્રે પોલીસે અહીં વીજળી, પાણી તેમજ અન્ય સુવિધાઓ રોકી દીધી. અહીં રહેનાર ગ્રામજનોએ ખેડૂત સંગઠનની વિરોધમાં આંદોલન કર્યું. ટીકૈત ને જ્યારે ખબર પડી કે હવે વળતા પાણી છે. તેમજ તેના મેદાનમાંથી પણ ખેડૂતો જઈ રહ્યા છે. ત્યારે તેઓ રડી પડ્યા. જેને કારણે આખી પરિસ્થિતિ ઈમોશનલ થઈ ગઈ. આનો લાભ ટીકૈતે ઊંચકી લીધો અને ખેડૂતોને રોકી દીધા. આનાથી સાબિત થાય છે કે ટીકૈત ઊંચા ખેલાડી છે. બીજી તરફ અડધી રાત્રે જ્યારે એક વ્યક્તિએ ટીકૈત ને કશું જણાવ્યું ત્યારે ગુસ્સામાં લાલચોળ થયેલા ટીકૈતે એ અજાણ્યા વ્યક્તિને થપ્પડ ચોડી દીધી.

ખેડૂતોએ હવે મહાપંચાયત બોલાવવાનો નિર્ણય કર્યો છે.એવું માનવામાં આવે છે કે હવે આ આંદોલન દિલ્લી બોર્ડર થી ઉત્તર પ્રદેશ બોર્ડર તરફ વળશે. 

ખેડૂત આંદોલન ને હવે રાજનૈતિક પાર્ટીઓએ સમર્થન આપવાનું શરૂ કર્યું છે. આનાથી આખું આંદોલન હવે રાજનીતિ તરફ વળ્યું છે. એટલે એક વાત સ્પષ્ટ થશે કે આ આંદોલન હવે રાજનૈતિક બની જશે.

કુલ મળીને ખેડૂત આંદોલન માં હવે મોટી ફૂટ છે. 26 જાન્યુઆરી પછી હવે વળતા પાણી છે.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version