Site icon

PM મોદીને મળેલી 1200થી વધુ ભેટોની આજથી ઈ-હરાજી શરૂ- આ ગિફ્ટ્સ છે લિસ્ટમાં સામેલ- જાણો પૈસાનું શું કરશે વડાપ્રધાન

PM Names 21 Largest Islands In Andaman And Nicobar After 21 Indian Heroes

હવે અંદામાન-નિકોબારના આ ૨૧ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતાઓના નામથી ઓળખાશે: વડાપ્રધાન મોદી

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને મળેલી ભેટોBi(Gifts)ની ઈ-હરાજી(E-auction) આજથી શરૂ થઈ ગઈ છે. આજે પીએમ મોદીનો 72મો જન્મદિવસ(PM Modi 72nd Birthday) પણ છે. આ પ્રસંગે મળેલ સ્મૃતિચિહ્નો અને ભેટ વગેરેની ઈ-હરાજી વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહી છે. પીએમ મોદીને મળેલા 1200 થી વધુ આઇકોનિક અને યાદગાર સ્મૃતિઓની આ ઇ-હરાજી આગામી 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઈ-હરાજીમાંથી મળેલી રકમ ‘નમામિ ગંગે’ મિશન(Namami Gange Mission)માં દાન કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલય(Ministry of Culture) પીએમ મોદીની ભેટોનું ચોથી વખત ઈ-હરાજીનું આયોજન કરી રહ્યું છે.

Join Our WhatsApp Community

2019 માં, ભેટોને ખુલ્લી હરાજી દ્વારા લોકો માટે મૂકવામાં આવી હતી. તે સમયે હરાજીના પ્રથમ રાઉન્ડમાં 1805 ભેટો રજૂ કરવામાં આવી હતી અને બીજા રાઉન્ડમાં 2772 ભેટો મૂકવામાં આવી હતી. 2021માં પણ પીએમ મોદી(PM Modi)ને મળેલી ભેટોની ઈ-હરાજી સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. ત્યારે વેબસાઇટ દ્વારા 1348 સ્મૃતિ ચિહ્ન વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. વેબસાઈટ પર ઈ-ઓક્શન માટે મુકવામાં આવેલ સ્મૃતિચિહ્નો નેશનલ મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ, નવી દિલ્હી ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આજે 72મા જન્મદિવસની ઉજવણી રહેશે અનોખી- આ ચાર અલગ અલગ જગ્યાએ આપશે હાજરી- જાણો તેમના ભરચક કાર્યક્રમ વિશે 

પીએમ મોદીને મળેલા અદભૂત ચિત્રો, શિલ્પો, હસ્તકલા અને લોક કલાકૃતિઓનો ઈ-ઓક્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંની ઘણી વસ્તુઓ પરંપરાગત રીતે પીએમ મોદીને ભેટમાં આપવામાં આવી હતી, જેમ કે પરંપરાગત અંગવસ્ત્રો, શાલ, પાઘડી-ટોપી, ધાર્મિક તલવાર વગેરે. અયોધ્યામાં શ્રી રામ મંદિર અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની નકલ પણ અન્ય આકર્ષક સ્મૃતિચિહ્નોમાં સામેલ કરવામાં આવી છે. પીએમ મોદીને મળેલી ભેટોની ઈ-ઓક્શન પીએમ મેમેન્ટોસ વેબસાઇટ pmmementos.gov.in દ્વારા કરવામાં આવી રહી છે.

LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
Exit mobile version