Site icon News Continuous Bureau | Mumbai

Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી

Global Energy Crisis ૨૧મી સદીના સૌથી મોટા ઉર્જા સંકટ સામે ભારતની સફળતા; સરકારે ૭૫,૦૦૦ કરોડનું નુકસાન ખમીને નાગરિકોને રાહત આપી

Global Energy Crisis  મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી

Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી

News Continuous Bureau | Mumbai

Global Energy Crisis વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજસ્થાનના બાલોતરામાં એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સમગ્ર વિશ્વ ૨૧મી સદીના સૌથી ગંભીર ઓઈલ સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે, ભારત સરકારે સમયસર લીધેલા નિર્ણયો અને અસરકારક વ્યૂહરચના દ્વારા દેશના સામાન્ય નાગરિકોને આ મોંઘવારીના મારથી સુરક્ષિત રાખ્યા છે.

Join Our WhatsApp Channel

Global Energy Crisis – સરકારે નાગરિકોના હિતને પ્રાધાન્ય આપ્યું

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે તેલના ભાવ આસમાને પહોંચ્યા હતા, ત્યારે સરકારે દેશના નાગરિકો પર તેનો પૂરો બોજ પડવા દીધો ન હતો. આ સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ ઈંધણના વધતા ભાવને કારણે ૭૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન સહન કર્યું હતું, જેને સરકારે પોતે પોતાના માથે ઉઠાવી લીધું. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી (Excise duty) માં ૧૦ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરીને સરકારે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપી હતી.

Global Energy Crisis – મુત્સદ્દીગીરી અને આત્મનિર્ભરતાનું પરિણામ

Global Energy Crisis – આ સંકટ સામે લડવા માટે ભારતે પોતાની મુત્સદ્દીગીરી (Diplomacy) નો ભરપૂર ઉપયોગ કર્યો છે. સંકટ શરૂ થયું ત્યારે ભારત માત્ર ૨૫-૨૬ દેશોમાંથી જ ઈંધણની આયાત કરતું હતું, જેની સંખ્યા વધારીને હવે ૪૦ થી વધુ દેશો સુધી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક રિફાઇનરીઓની ક્ષમતા વધારીને અને ગેસની સપ્લાય ચેઈન (Supply chain) ને મજબૂત બનાવીને ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતોને અવિરત રાખી છે. વડાપ્રધાને જણાવ્યું કે, ૨૧મી સદીના નવા ભારતના સંકલ્પે આ મોટા સંકટને સફળતાપૂર્વક માત આપી છે.

Global Energy Crisis – અફવા ફેલાવનારાઓને વડાપ્રધાનનો જવાબ

સંબોધન દરમિયાન પીએમ મોદીએ વિરોધીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે દેશ આ ગંભીર પરિસ્થિતિ સામે લડી રહ્યો હતો, ત્યારે કેટલાક લોકો અફવાઓ ફેલાવીને અને ડરનો માહોલ બનાવીને ગભરાટ (Panic) ઊભું કરવામાં વ્યસ્ત હતા. પરંતુ સરકારના પ્રયાસો અને સંવેદનશીલ નીતિઓના કારણે દેશમાં ક્યાંય પણ ઈંધણની અછત સર્જાઈ નથી. સરકારની ‘નાગરિક દેવો ભવ’ (Citizens are supreme) ની ભાવના જ આ વિકટ પરિસ્થિતિમાં ભારતને સુરક્ષિત રાખવાનું મુખ્ય કારણ બની છે.

👉 આ સમાચાર વાચો:
Missing Link Potholes Missing Link Potholes મુંબઈપુણે 'મિસિંગ લિંક' પર ખડ્ડા પડતા વિવાદ; દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'આ તો માત્ર ટેસ્ટિંગ છે!'

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Bhutan rejects E20 fuel Bhutan rejects E20 fuel શું ભૂતાનને ભારતના E20 પેટ્રોલ પર વિશ્વાસ નથી? જાણો શા માટે ઠુકરાવ્યો પ્રસ્તાવ
Exit mobile version