Site icon News Continuous Bureau | Mumbai

Global Hindu Rashtra Festival: દેશમાં ધર્માંતરણની કિસ્સાઓ વધતા, હવે લઘુમતીઓ માટે ચાલતી તમામ સરકારી યોજનાઓને તાત્કાલિક બંધ કરવાની ઉઠી માંગ..

Global Hindu Rashtra Festival: નવી કેન્દ્ર સરકારની રચના પછી, પાછલા 5 વર્ષમાં દેશમાં ગૌહત્યાની ઘટનાઓ વધી છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હિન્દુઓ પર હુમલા વધી ગયા છે. જો આપણે સમયસર આનો જવાબ નહીં આપીએ તો ભવિષ્યમાં હિંદુઓ માટે આનો સામનો કરવો મુશ્કેલ બની જશે. હાલ ભાજપના 240 સાંસદો માત્ર એટલા માટે ચૂંટાયા છે કારણ કે હિન્દુઓએ તેમના સમર્થનમાં મતદાન કર્યું છે. તેથી ભાજપે હિંદુ મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

Global Hindu Rashtra Festival Immediate closure of government schemes for minorities in the country, which furthers religious conversion..

Global Hindu Rashtra Festival Immediate closure of government schemes for minorities in the country, which furthers religious conversion..

News Continuous Bureau | Mumbai

Global Hindu Rashtra Festival: દેશમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને લઘુમતીઓ ( Minorities ) માટે 200 યોજનાઓ ચલાવવામાં આવે છે. આ સિવાય દરેક રાજ્યમાં આ યોજનાઓની કુલ સંખ્યા 500થી વધુ હશે. આ સિવાય અન્ય યોજનાઓ પણ માત્ર લઘુમતીઓ માટે છે. આ બધી યોજનાઓ હિંદુઓના ટેક્સ પર ચાલે છે. તેથી લઘુમતીઓ માટે આ યોજનાઓ ( Government Schemes ) એક રીતે ગરીબ હિંદુઓનું શ્રીમંત હિંદુઓના પૈસાથી ધર્માંતરણ છે. જો કે, લઘુમતીઓ માટેની યોજનાઓ ધાર્મિક પરિવર્તનને પ્રોત્સાહન આપતી હોવાથી, સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયે હવે આ અંગે માંગ કરી હતી કે આ યોજનાઓ તાત્કાલિક બંધ કરવી જોઈએ. તેઓ વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવમાં હિંદુત્વનું ( Hindutva ) રક્ષણ વિષય પર બોલી રહ્યા હતા તે સમયે આ માંગ કરી હતી. 

Join Our WhatsApp Channel

નવી કેન્દ્ર સરકારની રચના પછી, પાછલા 5 વર્ષમાં દેશમાં ગૌહત્યાની ઘટનાઓ વધી છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હિન્દુઓ ( Hindus ) પર હુમલા વધી ગયા છે. જો આપણે સમયસર આનો જવાબ નહીં આપીએ તો ભવિષ્યમાં હિંદુઓ માટે આનો સામનો કરવો મુશ્કેલ બની જશે. હાલ ભાજપના 240 સાંસદો માત્ર એટલા માટે ચૂંટાયા છે કારણ કે હિન્દુઓએ તેમના સમર્થનમાં મતદાન કર્યું છે. તેથી ભાજપે હિંદુ મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

Global Hindu Rashtra Festival: મણિપુરની હિંસા પાછળ પશ્ચિમી દેશોનો હાથ છે….

આ અવસર પર અયોધ્યા ફાઉન્ડેશનના ( Ayodhya Foundation ) સ્થાપકે નિવેદન આપતા કહ્યું હતું કે, અમે હિંદુઓમાં તેમની સંસ્કૃતિ પ્રત્યે રુચિ વધારવા માટે હવે મંદિરમાં દીવા પ્રગટાવવાની યોજના શરૂ કરી છે. જેમાં મંદિરમાં દેવતાઓની પૂજા કરીને તે મંદિરોમાં દીવા પ્રગટાવામાં આવે છે. આ યોજના હિમાચલ પ્રદેશથી શરૂ કરાઈ  છે.

આ સમાચાર પણ વાંચો:  Most Powerful Non-Nuclear Explosive: ભારતે હવે બનાવ્યું વિશ્વનું સૌથી શક્તિશાળી બિન-પરમાણુ વિસ્ફોટક! TNT કરતાં બમણું ઘાતક, નેવીએ કર્યું પરીક્ષણ.. જાણો વિગતે..

તેમજ મણિપુરના મણિપુર ધર્મરક્ષક સમિતિના સભ્યએ સંબોધન કરતા આગળ કહ્યું હતું કે, મણિપુરની હિંસા પાછળ પશ્ચિમી દેશોનો હાથ છે. પશ્ચિમી દેશો અને તેમના સંલગ્ન મિશનરીઓ દ્વારા મ્યાનમાર અને બાંગ્લાદેશના ભાગો હવે મણિપુરને તોડીને એક નવો સ્વતંત્ર કુકી દેશ બનાવવાનું કાવતરું રચી રહ્યું છે. મણિપુરમાં કુકી જાતિનું નામ 1961ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની યાદીમાં પણ ન હતું; પરંતુ આજે તેઓ સ્વતંત્ર દેશની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશીઓ તેમજ મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો, હાલ કુકી સમુદાય મોટી સંખ્યામાં જોડાય રહ્યા છે. તેથી તેમને આધાર કાર્ડ અને મતદાર કાર્ડ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. સીમા સુરક્ષાના અભાવે ઉત્તર-પૂર્વ ભારતમાં ઘૂસણખોરી હાલ વધી રહી છે. મણિપુરના મણિપુર ધર્મરક્ષક સમિતિના સભ્યએ આ સંદર્ભે ભારપૂર્વક જણાવ્યું હતું, કે જો આના પર સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો ઉત્તર પૂર્વ ભારતમાં પણ વાયરસ ફેલાતા વધુ સમય લાગશે નહીં.

 

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version