Site icon News Continuous Bureau | Mumbai

સરકાર ત્રીજુ પ્રોત્સાહક પેકેજ લાવવાની તૈયારી કરી રહી છે.. માર્ચ સુધી મફત અનાજ અને રોકડ મળશે!!!

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

27 ઓક્ટોબર 2020 

વિશ્વ અને દેશભરમાં ફેલાયેલી કોરોનાની મહામારી ને કારણે વ્યાપેલા આર્થિક પ્રભાવને પહોંચી વળવા માટે મોદી સરકાર પ્રોત્સાહક પેકેજ 3.0 લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર સરકાર આ પેકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) ના ફાયદા આવતા વર્ષ માર્ચ સુધી લંબાવી શકે છે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા માટે આ યોજનાનો સમયગાળો વધારવાની યોજના બનાવી રહી છે. પહેલાં પણ જૂન સુધી ચાલેલી આ યોજના નવેમ્બર સુધી લંબાઈ હતી.

@ પેકેજ 3.0 માં શું થઈ શકે?

એક સમાચાર મુજબ, આ યોજનામાં, સરકાર રોકડની સાથે અનાજ આપવા માટે સમય મર્યાદામાં વધારો કરી શકે છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે પ્રોત્સાહક પેકેજ 3.0 માંગ વધારી સામાજિક સુરક્ષા પૂરી પાડવાનાં પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

@ કેશ ટ્રાન્સફર યોજનાને PMGKY માં સમાવી શકાય.. 

ત્રીજા પ્રોત્સાહક પેકેજમાં સરકાર 20 કરોડ જન ધન ખાતા અને 3 કરોડ ગરીબ વરિષ્ઠ નાગરિકો, વિધવા અને અપંગ રોકડ ટ્રાન્સફર યોજનાનો સમાવેશ કરી શકે છે. આ કેશ ટ્રાન્સફર યોજના પણ પીએમજીકેવાયનો એક ભાગ છે.

@ પીએમજીકેવાયના શું ફાયદા છે?

# પીએમજીકેવાય અંતર્ગત, સરકાર એક મહિનામાં એક વ્યક્તિને 5 કિલો ચોખા અથવા ઘઉં મફત આપે છે. સરકારની આ યોજનાનો લાભ દેશના લગભગ 81 કરોડ લોકોને મળી રહ્યો છે.

# આ સિવાય દર મહિને 19.4 મિલિયન ઘરોને 1 કિલો ગ્રામ કઠોળના ચણા મફત આપવામાં આવે છે.

# આ અનાજ 'રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ' હેઠળ આપવામાં આવી રહ્યું છે.

જાણો પીએમજીકેવાય શું છે?

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકોને 'લોકડાઉન'ના પ્રભાવથી બચાવવા માટે કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે 'પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય)' ની યોજનાની જાહેરાત કરી હતી. કુલ રૂ. 1.70 લાખ કરોડના પેકેજ હેઠળ સરકારે ગરીબોને વિના મૂલ્યે રેશન, મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો અને ખેડુતોને રોકડ સહાયની જાહેરાત કરી હતી. જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત આ રકમ સીધા 8 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પેકેજ બિહારની ચૂંટણી પહેલા આવી શકે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત 11 અન્ય રાજ્યોમાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે.

Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
SBI’s role in Ram Temple donation case રામ મંદિર દાન ચોરી કેસમાં SIT એ SBI ની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, બેંક કર્મચારીની થશે પૂછપરછ
JioTV Pro Pack માત્ર 55 રૂપિયામાં મનોરંજનનો ખજાનો, જાણો શું છે જિયોનો નવો સસ્તો રિચાર્જ પ્લાન
Exit mobile version