News Continuous Bureau | Mumbai
Government Jobs: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) 51 હજાર યુવાનોને ( youth ) સરકારી નોકરી ( Government Job ) માટે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. આ યુવાનોને અલગ-અલગ વિભાગોમાં સરકારી નોકરી આપવામાં આવી છે. નવી દિલ્હીના ( New Delhi ) રાયસીના રોડ ( Raisina Road ) પર સ્થિત નેશનલ મીડિયા સેન્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા હતા.
મંગળવારે આયોજિત રોજગાર મેળા અંતર્ગત દેશના અનેક ક્ષેત્રોના યુવાનોને 51 હજાર જોઇનિંગ લેટર ( Joining letter ) આપવામાં આવ્યા હતા. 46 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની ( Central Govt ) ભરતી ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો ( Union Territories ) માટે પણ ભરતી કરવામાં આવી છે.
“When millions of youth like you join government services, the speed and scale of implementing policies also increase,” says PM Modi addressing new appointees during ‘Rozgar Mela’ via video conferencing pic.twitter.com/JvxuChVNzc
— ANI (@ANI) September 26, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુવાનોએ સખત મહેનત કરીને આ સફળતા મેળવી છે અને આ સફળતાનું ઘણું મહત્વ છે. તેમણે કહ્યું કે આ વખતે નવનિયુક્ત ઉમેદવારોમાં મહિલાઓ વધુ છે, જે મહિલા સશક્તિકરણનું ( women empowerment ) ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા પણ ઝડપથી વધી રહી છે અને યુવાનો માટે ઘણી મોટી તકો આવશે.
આ વિભાગોમાં મળી નોકરીઓ…
સરકારી નોકરીઓ અપાતા 51 હજારથી વધુ યુવાનોને અને અનેક વિભાગોના નવનિયુક્ત લોકોને જોઇનીંગ લેટર આપવામાં આવ્યા છે. પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઉર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય અને અન્ય વિભાગોમાં નવા નિયુક્ત કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2023: મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની મચી ધુમ.. ગણપતિ ઉત્સવના 7માં દિવસે મુંબઈમાં આટલા હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન.. વાંચો વિગતે અહીં..
iGOT કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઈન મોડ્યુલ, કર્મયોગી દ્વારા નવા નિયુક્ત સરકારી કર્મચારીઓને પણ પોતાને તાલીમ આપવાની તક મળી રહી છે, જ્યાં ‘ક્યાંથી પણ, કોઈપણ ઉપકરણ’ શીખવા માટે 680 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
28 ઓગસ્ટ સુધી આઠ રોજગાર મેળાઓ હેઠળ 5.5 લાખથી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજની તારીખે એટલે કે 26મી સપ્ટેમ્બર સુધીમાં 6 લાખથી વધુ યુવાનોને જોઇનિંગ લેટર આપવામાં આવ્યા છે. આ નવમો રોજગાર મેળો હતો.
