Site icon

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, હવે આ લોકોને ઘરે જ મળશે કોરોના રસી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ઉંમરને કારણે વેક્સિનેશન સેન્ટર સુધી જઈને વેક્સિન ન લઈ શકનાર વૃદ્ધો માટે કેન્દ્ર સરકારે ખાસ વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે.

નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું કે વૃદ્ધોને ઘરે જ વેક્સિન આપવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. 

તેમણે કહ્યું કે નિયર ટુ હોમ કોવિડ વેક્સિનેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવશે, જેને કારણે દિવ્યાંગો અને વુદ્ધો વેક્સિન લેવા સેન્ટર સુધી ધક્કા નહીં ખાવા પડે અને તેમને ઘેર બેઠા વેક્સિન મળી શકશે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 60 વર્ષથી વધુ વયના કોઈપણ વ્યક્તિ તેના ઘર નજીક રસી લઈ શકશે. 

આ ઉપરાંત 60 વર્ષથી ઓછી વયની વિકલાંગ વ્યક્તિઓને પણ તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા પૂરી પાડવામાં આવશે. 

આ માટે તેઓ અન્ય લોકોની જેમ અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈ શકે છે. તદુપરાંત, જો તેઓ ઇચ્છે તો, તેઓ રસીકરણ કેન્દ્ર સુધી પહોંચી શકે છે અને ઓન-સાઇટ નોંધણી દ્વારા રસી મેળવી શકે છે.

ડોમ્બિવલીમાં 15 વર્ષની છોકરી પર કરવામાં આવ્યો સામૂહિક બળાત્કાર; જાણો વિગત

Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.
Exit mobile version