Site icon News Continuous Bureau | Mumbai

હવે બિનમુસ્લિમોને મળશે ભારતનું નાગરિકત્વ, કેન્દ્ર સરકારે પાકિસ્તાન સહિતના આ ત્રણ દેશોના શરણાર્થીઓનાં આવેદનો મગાવ્યાં; જાણો વિગતે

કોરોનાને કારણે દેશમાં નાગરિકતા કાયદા સહિતના મુદ્દાઓ દબાઈ ગયા હતા. જોકે હવે કોરોનાના કેસ ઓછા થતાં મોદી સરકારે અન્ય દિશામાં કામ શરૂ કર્યું છે

કેન્દ્ર સરકારે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિનમુસ્લિમ શરણાર્થીઓ પાસેથી નાગરિકતા માટે આવેદનો મગાવ્યાં છે.

Join Our WhatsApp Channel

ટૂંક સમયમાં જ પ્રક્રિયા પૂરી કરીને તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 

ગૃહ મંત્રાલયે નાગરિકતા અધિનિયમ -1955 હેઠળ આ નિર્દેશના તાત્કાલિક ધોરણે અમલ કરવા અને તે હેઠળ 2009માં બનાવેલા નિયમો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જ્યારે 2019 માં CAA કાયદો ઘડ્યો હતો, ત્યારે દેશના વિવિધ ભાગોમાં એની સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો થયાં હતાં. આ વિરોધ પ્રદર્શનના પગલે 2020ની શરૂઆતમાં રાજધાની દિલ્હીમાં તોફાનો પણ થયાં હતાં.

Global Weather Alert પ્રશાંત મહાસાગરમાં બની રહ્યો છે શક્તિશાળી ‘અલ નીનો’; નાસાના સેટેલાઈટ ડેટાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી
MEA Update હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય; આટલા જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું
BarrierFree Toll System હાઈવે પર હવે ગાડી નહીં અટકે! ભારતમાં દેશની પ્રથમ ‘બેરિયરફ્રી’ ટોલ સિસ્ટમનો હરિયાણામાં ટ્રાયલ શરૂ
India’s LPG Import Strategy એનર્જી સુરક્ષા માટે ભારતની મોટી રણનીતિ મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટાડી અમેરિકા તરફ વળ્યું ભારત.
Exit mobile version