Site icon News Continuous Bureau | Mumbai

Gyanvapi ASI Survey: જમીનને કોઈ નુકસાન વિના જીપીઆર ટેક્નોલોજીથી સર્વે…પ્રથમ દિવસે 12 વાગ્યા સુધી જ ટીમ તથ્યોની તપાસ કરશે.. વાંચો 10 મોટા અપડેટ્સ વિગતવાર જાણકારી સાથે અહીં…

Gyanvapi ASI Survey: જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે આજથી ફરી શરૂ થયો છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હિન્દુ પક્ષે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે.

Gyanvapi Survey: ASI seeks 8 more weeks to complete survey, matter to be heard on September 8

Gyanvapi Survey: ASIએ રિપોર્ટ સબમિટ કરવા માટે માંગ્યો 8 અઠવાડિયાનો સમય, આ કારણ આવ્યું બહાર, હવે 8 સપ્ટેમ્બરે સુનાવણી..

News Continuous Bureau | Mumbai 

Gyanvapi ASI Survey: અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ASIની ટીમ ફરીથી જ્ઞાનવાપી કેમ્પસ (Gyanvapi Campus) માં સર્વે કરી રહી છે. ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેને મંજૂરી આપી હતી, ત્યાર બાદ આજે સવારે 7 વાગ્યાથી જ્ઞાનવાપી કેમ્પસમાં વજુ ખાવા સિવાય સર્વેની કામગીરી શરૂ થઈ હતી. આ દરમિયાન ચાર મહિલા અરજદારોની સાથે ચાર વકીલોને પણ બોલાવવામાં આવ્યા છે. સર્વે ટીમમાં 51 સભ્યો છે.
આ સર્વે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર (GPR) ટેક્નોલોજી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આમાં જમીન ખોદ્યા વિના 10 મીટરની ઊંડાઈ સુધી મેટલ અને અન્ય સ્ટ્રક્ચરની માહિતી ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Channel

ASI સર્વે સંબંધિત 10 અપડેટ

અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ વારાણસીના ડીએમએ કહ્યું છે કે જ્ઞાનવાપી કેમ્પસના સર્વે દરમિયાન પ્રશાસન એએસઆઈને સંપૂર્ણ સહયોગ કરશે. જ્ઞાનવાપીની 300 મીટરની ત્રિજ્યામાં ચારે બાજુથી બેરીકેટ લગાવીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. બે આઈપીએસ, 4 એડિશનલ એસપી, 6 ડેપ્યુટી એસપી અને 10 ઈન્સ્પેક્ટર ઉપરાંત લગભગ 200 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વે વિરુદ્ધ મસ્જિદ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટ આજે આ અરજી પર સુનાવણી કરશે. હાઈકોર્ટના નિર્ણય પર તાકીદે સ્ટે મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે. તે જ સમયે, હિન્દુ પક્ષની અરજી કરનાર રાખી સિંહ પણ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં પહોંચી છે. હિંદુ પક્ષને સાંભળ્યા વિના કોઈ આદેશ ન આપવા માંગણી કરી હતી.
જ્ઞાનવાપી પરિસરમાં હિંદુઓના પ્રતિકોની રક્ષા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર આજે વારાણસી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. મુસ્લિમ પક્ષ પર પ્રતીકોને નષ્ટ કરવાનો આરોપ છે. વિશ્વ હિન્દુ પરિષદે જ્ઞાનવાપી પર કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. VHP નેતા આલોક કુમારે કહ્યું કે, સર્વે બાદ જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે.
જ્ઞાનવાપી કેસમાં નવો વળાંક આવ્યો છે. બૌદ્ધ ધર્મના ગુરુ સુમિત રતન ભંતે અનુસાર, જ્ઞાનવાપીમાં જોવા મળતા ત્રિશુલ અને સ્વસ્તિક પ્રતીકો બૌદ્ધ ધર્મના છે. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ હાઈકોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. કહ્યું કે શિવભક્ત તરીકે હું હાઈકોર્ટના આદેશનું સ્વાગત કરું છું.

આ સમાચાર પણ વાંચો : Gyanvapi Survey: જ્ઞાનવાપીમાં સર્વે ફરી ચાલુ… ASI ટીમ સિવાય 16 લોકોને કેમ્પસમાં પ્રવેશવાની છૂટ…મુસ્લિમ પક્ષે કર્યો બહિષ્કાર.. વાંચો સંપુર્ણ વિગતો અહીં..

ઇત્તિહાદ-એ-મિલ્લત કાઉન્સિલના પ્રમુખ મૌલાના તૌકીર રઝાનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. તેઓ કહે છે કે, ફુવારાને શિવલિંગ કહેવું એ જ્ઞાનવાપીને બળજબરીથી કબજે કરવાનો પ્રયાસ છે.
હાઈકોર્ટે જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વે સામે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી હતી. અંજુમન ઈન્તેજામિયા કમિટીએ 21 જુલાઈના રોજ વારાણસી(Varanasi) જિલ્લા અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
સર્વેનો આદેશ આપતી વખતે હાઇકોર્ટે કહ્યું હતું કે માળખાને નુકસાન નહીં થાય. તેવી ASIની ખાતરીને અસ્વીકાર કરવાનું કોઇ કારણ નથી, પરંતુ સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે સર્વે માટે કોઇ ખોદકામ ન કરવું જોઇએ.
સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાને આરોપ લગાવ્યો કે હિન્દુ અને મુસ્લિમો ફાયદો ઉઠાવવા માંગે છે. કોર્ટના નિર્ણયનો જવાબ કોર્ટમાંથી જ આપવામાં આવશે.
21 જુલાઈના રોજ વારાણસી જિલ્લા ન્યાયાધીશે સર્વેનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ટીમ 24 જુલાઈએ સવારે 7 વાગ્યે સર્વે માટે જ્ઞાનવાપી પહોંચી હતી. 24 જુલાઈએ સવારે 10.40 વાગ્યે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
24 જુલાઈએ જ સવારે 11.45 વાગ્યે સુપ્રીમ કોર્ટે ASI સર્વે પર સ્ટે લગાવ્યો હતો. બીજી તરફ 25 જુલાઈએ મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી 26 જુલાઈએ થઈ હતી અને હાઈકોર્ટે 27 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version