Site icon News Continuous Bureau | Mumbai

Gyanvapi Mosque Case : જ્ઞાનવાપી વ્યાસજી ભોંયરામાં ચાલુ રહેશે પૂજા, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી..

Gyanvapi Mosque Case: અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના મામલે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે આજે સુનાવણી કરતા મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. આ પહેલા કોર્ટે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો.

Gyanvapi Mosque Case Hindu puja to continue in cellar as Allahabad HC dismisses plea

Gyanvapi Mosque Case Hindu puja to continue in cellar as Allahabad HC dismisses plea

News Continuous Bureau | Mumbai 

 Gyanvapi Mosque Case : જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટ ( Allahabad HC ) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસર ( Gyanvapi Case ) ના વ્યાસજી ભોંયરામાં હિન્દુ ( Hindu ) પક્ષકારોને પૂજા કરવાની મંજૂરી આપતા આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની અધ્યક્ષતાવાળી બેન્ચે વ્યાસજી ભોંયરામાં પૂજા ચાલુ રાખવાનો ચુકાદોઆપ્યો છે. આ કેસમાં મુસ્લિમ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

Join Our WhatsApp Channel

હાઈકોર્ટનો મોટો નિર્ણય

આદેશ આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે તાજેતરમાં જિલ્લા ન્યાયાધીશ દ્વારા જે પૂજા ( Puja ) નો આદેશ આપવામાં આવ્યો છે તે ચાલુ રહેશે. અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેંચે જ્ઞાનવાપી મસ્જિદ ( Gyanwapi Mosque ) નું સંચાલન કરતી સંસ્થા અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી. તમને જણાવી દઈએ કે મુસ્લિમ પક્ષે ભોંયરામાં પૂજાની પરવાનગી વિરુદ્ધ બે અરજી દાખલ કરી હતી. પરવાનગી મળ્યા બાદ હિન્દુ પક્ષે અહીં મૂર્તિની સ્થાપના કરી હતી અને પૂજાનું પણ આયોજન કર્યું હતું. મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો હતો.

વારાણસી કોર્ટના આદેશને પડકાર:

ગત 31 જાન્યુઆરીના રોજ, વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિંદુઓને જ્ઞાનવાપીના વ્યાસ ના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ અંજુમન સમજૌતા મસ્જિદ સમિતિએ વારાણસી કોર્ટના આદેશને પડકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ યુનિટે ગોરેગાવમાં કર્યો નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, આટલાની ધરપકડ.. જાણો વિગતે..

કોર્ટે ચુકાદો અનામત રાખ્યો:

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે અંજુમન સમજૌતા મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરાયેલી પ્રથમ અરજી પર સુનાવણી કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. 

વ્યાસજી ભોંયરામાં ચાલી રહેલી પૂજા ચાલુ રહેશેઃ

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના કોર્ટના નિર્ણયને પડકારતી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન સમજૌતાના આદેશ વિરુદ્ધ પ્રથમ અરજી ફગાવી દીધી હતી. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના 17 અને 31 જાન્યુઆરીના આદેશને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરામાં ચાલી રહેલી પૂજા ચાલુ રહેશે.

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version