Site icon News Continuous Bureau | Mumbai

Gyanvapi Mosque Survey: જ્ઞાનવાપી કેસ પર હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણય.. જાણો શું છે આ મુદ્દો..

Gyanvapi Mosque Survey: અલ્હાબાદ હાઈકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી અને સર્વેક્ષણ રોકવાની મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટના નિર્દેશ મુજબ ASI ટીમ ટૂંક સમયમાં જ સર્વે કરવાનું શરૂ કરશે.

Gyanvapi Survey: ASI seeks 8 more weeks to complete survey, matter to be heard on September 8

Gyanvapi Survey: ASIએ રિપોર્ટ સબમિટ કરવા માટે માંગ્યો 8 અઠવાડિયાનો સમય, આ કારણ આવ્યું બહાર, હવે 8 સપ્ટેમ્બરે સુનાવણી..

News Continuous Bureau | Mumbai

Gyanvapi Mosque Survey: અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI Survey) ને વારાણસી (varanasi) માં જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque) સંકુલનું સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી અને સર્વેક્ષણ રોકવાની મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી.

Join Our WhatsApp Channel

કોર્ટના નિર્દેશ મુજબ ASI ટીમ ટૂંક સમયમાં જ સર્વે કરવાનું શરૂ કરશે. જ્ઞાનવાપી સર્વે કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈન કહે છે કે સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો .

ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરની કોર્ટ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ સામે મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં વઝુખાના વિસ્તારને બાદ કરતા સંકુલના સર્વેની મંજૂરી આપવામાં આવી હતી.

સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો

28 જુલાઈના રોજ, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) રાજ્ય તરફથી હાજર થતાં, એડવોકેટ જનરલ અજય મિશ્રાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે છે અને તેને સર્વેક્ષણ સાથે કોઈ ચિંતા નથી.

આ સમાચાર પણ વાંચો : UPI Payment: જુલાઈ મહિનામાં UPI પેમેન્ટ્સમાં આટલા ટક્કા થયો વધારો; માસિક ટ્રાઝેક્શને નવો શિખર સર કર્યો.. જાણો સંપુર્ણ વિગતો અહીં..

હિન્દુ પક્ષના વકીલ, વિષ્ણુ શંકર જૈને ત્યારબાદ રજૂઆત કરી હતી કે જિલ્લા અદાલતે તાર્કિક નિષ્કર્ષ પર આવવા માટે ASI સર્વેને બોલાવ્યા છે. તેણે કોર્ટમાં મસ્જિદની પશ્ચિમ બાજુના કેટલાક ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. જેમાં હિંદુ મૂર્તિઓ અને તેમની પૂજાનું અસ્તિત્વ દર્શાવવામાં આવ્યું હતું. અગાઉ, જ્યારે આ કેસમાં સુનાવણી શરૂ થઈ, ત્યારે ASI એડિશનલ ડિરેક્ટર આલોક ત્રિપાઠીએ કોર્ટને જણાવ્યું હતું કે ASI સ્ટ્રક્ચર ખોદવા જઈ રહ્યુ નથી.

21 જુલાઈના રોજ વારાણસીની એક કોર્ટે એએસઆઈ (ASI) ને મસ્જિદનું સર્વેક્ષણ કરવા માટે નિર્દેશ આપ્યો હતો કે મસ્જિદ મંદિરની જગ્યા પર બનાવવામાં આવી છે કે કેમ. 24 જુલાઇના રોજ શરૂ થયેલ સર્વેક્ષણ, સુપ્રીમ કોર્ટ દ્વારા અટકી ગયું હતું જેણે જિલ્લા કોર્ટના આદેશને અપીલ કરવા માટે “થોડો સમય રોકવાનો” આદેશ આપ્યો હતો.

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Exit mobile version