Site icon News Continuous Bureau | Mumbai

નફરતભર્યા ભાષણ પર સુપ્રીમ કોર્ટે કડક.. હેટ સ્પીચ પર લગામ કસવા રાજનેતાઓને આપી આ સલાહ

New Delhi: Supreme Court examines if illegitimate child has right over ancestral property

New Delhi: Supreme Court examines if illegitimate child has right over ancestral property

  News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે નફરત ફેલાવનારા ભાષણ અંગે કડકાઈ દાખવી છે. દ્વેષપૂર્ણ ભાષણો આપનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે “દેશમાં નફરતનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે” કોર્ટે બુધવારે અપ્રિય ભાષણની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Channel

મીડિયા પ્રકાશિત અહેવાલો મુજબ કોર્ટે કહ્યું કે હેટ સ્પીચથી છુટકારો મેળવવા માટે ધર્મને રાજનીતિથી અલગ કરવો પડશે. જ્યાં સુધી રાજનીતિને ધર્મથી અલગ કરવામાં નહીં આવે ત્યાં સુધી હેટ સ્પીચથી છુટકારો મળી શકશે નહીં. હેટ સ્પીચ જોવામાં આવે તો એકદમ રાજનીતિ છે. સૌથી મોટી સમસ્યા છે કે જે રાજનેતા છે, તે ધર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. આપણા દેશમાં ધર્મ અને રાજનીતિ જોડાયેલા છે. આ કારણ છે કે હેટ સ્પીચ થઈ રહી છે.
જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણ સામેની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પણ પૂછ્યું હતું કે એફઆઈઆર નોંધવા માટે શું કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે માત્ર ફરિયાદ દાખલ કરવાથી દ્વેષપૂર્ણ ભાષણની સમસ્યા હલ થઈ શકતી નથી. સાથે બેન્ચે નફરતભર્યા ભાષણને દુષ્ટ ચક્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભાઈચારાનો વિચાર વધુ હતો પરંતુ અફસોસ એ છે કે તિરાડો દેખાઈ રહી છે. સમાજમાં દ્વેષપૂર્ણ ભાષણને રોકવા માટે રાજ્ય શા માટે સિસ્ટમ વિકસાવી શકતું નથી. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. એક સમય હતો જ્યારે દેશમાં પંડિત જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી જેવા વક્તા હતા. દૂર-દૂરના ગામડાઓમાંથી લોકો મધ્યરાત્રિએ તેમનું ભાષણ સાંભળવા આવતા. હવે અસામાજિક તત્વો બકવાસ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  મોનો રેલની સ્પીડ વધશે, મુસાફરો 10 ગણા વધશે, આટલા મેટ્રો અને રેલવે સ્ટેશનને જોડવાની યોજના..

અદાલતે કહ્યું કે દરેક નાગરિકે સંયમ રાખવો જોઈએ. જસ્ટિસ નાગરત્ને એમ પણ કહ્યું છે કે દેશના લોકોએ શપથ લેવા પડશે કે તેઓ અન્ય લોકોનું અપમાન નહીં કરે. બેન્ચના બીજા જસ્ટિસ જોસેફે કહ્યું કે સૌથી મોટી સમસ્યા એ છે કે રાજકારણીઓ ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે. આપણા દેશમાં ધર્મ અને રાજકારણ એકબીજા સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે અપ્રિય ભાષણો થઈ રહ્યા છે. ન્યાયાધીશે કહ્યું કે રાજકારણ અને ધર્મને અલગ કરવા પડશે. તેની સખત જરૂર છે.

અદાલતે વધુમાં કહ્યું કે રાજ્ય અપ્રિય ભાષણ કેસમાં નિષ્ક્રિય વલણ અપનાવી રહ્યું છે. રાજ્ય આ બાબતે નપુંસક છે અને સમયસર કાર્યવાહી કરતું નથી. જસ્ટિસ જોસેફે કહ્યું કે રાજ્ય શા માટે ચૂપ છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પર ભારત સરકારના સોલિસિટર જનરલે કહ્યું કે તેનો અર્થ એ છે કે કોર્ટ તેને યોગ્ય માની રહી છે. ત્યારે જસ્ટિસ જોસેફે કહ્યું કે અન્ય ધર્મના લોકોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું છે અને બધા ભાઈ-બહેન છે. ભાઈચારો વધારવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પણ સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણના મામલે તીખી ટિપ્પણી કરી હતી. જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું હતું કે, “આ 21મી સદી છે. આપણે ધર્મના નામે ક્યાં આવી ગયા છીએ? આપણે ધર્મનિરપેક્ષ અને સહિષ્ણુ સમાજ હોવો જોઈએ, પરંતુ આજે નફરતનું વાતાવરણ છે.” ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે સામાજિક તાણ વિખેરાઈ રહ્યું છે. આપણે ભગવાનને કેટલા નાના કર્યા છે. તેના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

Passport vs Citizenship પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર યાત્રાનો દસ્તાવેજ છે વિદેશ મંત્રાલય
El Nino Impact અલનીનોની અસર, મુંબઈમાં અતિવૃષ્ટિ તો ઉત્તર ભારતમાં દુષ્કાળ જેવો માહોલ..
Ram Mandir Donation Row રામ મંદિર દાન વિવાદ SIT રિપોર્ટમાં આર્થિક ગેરરીતિઓનો ઘટસ્ફોટ, ઓડિટની ચેતવણીને કરાઈ હતી નજરઅંદાજ
Kolkata Building Collapse કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોદામ ધરાશાયી, 5060 લોકો દબાયા હોવાની આશંકા
Exit mobile version