News Continuous Bureau | Mumbai
માનવાધિકારને(Human rights) લઇને સવાલ ઉઠાવવા પર ભારતે(India) અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે.
અમેરિકાના વિદેશમંત્રીએ (US foreign Minister) માનવ અધિકાર મુદ્દે કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રી એસ જયશંકરે(S.jaishankar) અમેરિકાને જવાબ આપતા કહ્યું હતું કે, 'અમને પણ અમેરિકાને લઈને ચિંતા છે.'
વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને પોતાને ત્યાં માનવ અધિકાર ઉલ્લંઘનના મામલાઓની યાદ અપાવી છે.
ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો બનાવવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ ત્યાર બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને માનવ અધિકાર અંગે સલાહ આપીને ભારતને અસ્વસ્થ કરી દીધું હતું.
