Site icon

કોંગ્રેસ શાસિત રાજ્યો કરતાં ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ આંક દેશમાં સૌથી ઊંચો છે, રાહુલ ગાંધી એ આપ્યાં આંકડાઓ

India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi

India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

16 જુન 2020

કોરોના વાયરસ મહામારીનું સંકટ દેશમાં પોતાના મૂળિયા મજબૂત કરી ચૂક્યું છે. દિવસેને દિવસે સેંકડો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને આગળ પણ ચાલું જ છે. આખા દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કોરોનાથી થનાર મોતનો મૃત્યુદર સૌથી વધુ હોવાનું જણાતા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત સરકારને ઘેરી છે, રાહુલ ગાંધીનું કહેવું છે કે, ગુજરાત મોડલની સચ્ચાઈ આખા દેશ સામે ઉજાગર થઈ ચૂકી છે.

રાહુલએ આપેલી આંકડાકીય માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુદર 6.25 ટકા છે, જે સૌથી વધુ છે. 

રાહુલે પોતાની ટ્વીટમાં ગુજરાતની તુલના કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે કરી છે.

રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલા આંકડા નીચે મુજબ છે.

 

– ગુજરાત: 6.25%

– મહારાષ્ટ્ર: 3.73%

– રાજસ્થાન: 2.32%

– પંજાબ: 2.17%

– પોડેચેરી: 1.98%

– ઝારખંડ: 0.5%

– છત્તીસગઢ: 0.35%

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 23 હજારથી ઉપર પહોંચી ગઈ છે, જ્યારે 1400થી વધુ લોકોએ કોરોનાથી મોત વ્હાલું કર્યું છે. કુલ કેસોના હિસાબથી ગુજરાત ટોપ 5 પ્રભાવિત રાજ્યોમાં સામેલ થઈ ચૂક્યું છે.. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર અમદાવાદ છે, આખા રાજ્યના લગભગ 70 ટકા કેસ આ શહેરમાં છે…

End of an Era: કેવી હશે પીએમ મોદીની નવી ઓફિસ? સાઉથ બ્લોક છોડીને હવે ‘સેવા તીર્થ’ બનશે સત્તાનું નવું સરનામું, જાણો શું છે આ નવા કેન્દ્રની ખાસિયત
UN Report on Red Fort Attack: લાલ કિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ, સંયુક્ત રાષ્ટ્રના તાજા રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ
Bharat Bandh Today: આજે ‘ભારત બંધ’: દેશભરમાં ૩૦ કરોડ શ્રમિકો હડતાળ પર, બેંક, બસ અને સરકારી કામકાજ પર થશે અસર – જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના પૈડાં થંભી ગયા! રાજસ્થાનમાં ૨ ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય
Exit mobile version