Site icon

Hindu Population: ભારતમાં બહુમતીની સંખ્યામાં 1950 અને 2015 ની વચ્ચે 8% ઘટાડો થયો, PMની આર્થિક સલાહકાર પરિષદનો અહેવાલય… જાણો મુસ્લિમ વસ્તીમાં કેટલો વધારો થયો..

Hindu Population:વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1950 અને 2015 વચ્ચે હિન્દુઓની વસ્તીમાં 7.8%નો ઘટાડો થયો છે. જ્યારે ભારતની વસ્તીમાં લઘુમતી જૂથોનો હિસ્સો વધ્યો છે. એ જ રીતે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ બહુમતી વસ્તીમાં મુસ્લિમોની વસ્તીમાં વધારો નોંધાયો છે.

Hindu Population India's majority population declined by 8% between 1950 and 2015, reports PM's Economic Advisory Council...

Hindu Population India's majority population declined by 8% between 1950 and 2015, reports PM's Economic Advisory Council...

News Continuous Bureau | Mumbai

Hindu Population: વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ ( EAC-PM )  દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં 65 વર્ષથી ઓછી ઉંમરના હિંદુઓની વસ્તીમાં ઘટાડો થયો છે. દેશમાં બહુમતી ધર્મ ધરાવતા હિન્દુઓની વસ્તીમાં 1950 અને 2015 વચ્ચે 7.8%નો ઘટાડો થયો છે. જ્યારે મુસ્લિમોની વસ્તીમાં 43 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે પોતાના અહેવાલમાં વિશ્વના 167 દેશોના વલણોનો અભ્યાસ કર્યો હતો. આ રિપોર્ટ મે 2024માં બહાર પાડવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Community

રિપોર્ટ અનુસાર, જ્યાં એક તરફ ભારતમાં બહુમતી હિંદુઓની વસ્તીની હિસ્સેદારી ઘટી છે, તો બીજી તરફ મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ સહિત અન્ય લઘુમતીઓનો વસ્તી ( Minority population ) હિસ્સો વધ્યો છે. જોકે જૈનો અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 1950 અને 2015 વચ્ચેના સમયગાળામાં, ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં ( Muslim population ) 43.15%નો વધારો થયો છે, જ્યારે ખ્રિસ્તીઓમાં 5.38%, શીખોમાં 6.58% અને બૌદ્ધોમાં નજીવો વધારો જોવા મળ્યો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે 1950 અને 2015 વચ્ચે એટલે કે 65 વર્ષ વચ્ચે વસ્તીમાં થયેલા ફેરફારોનો અભ્યાસ કર્યો હતો.

Hindu Population: ભારતની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો 1950માં 84%થી ઘટીને 2015માં 78% થઈ ગયો હતો..

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, EAC-PM એટલે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અહેવાલ અનુસાર, ભારતની વસ્તીમાં ( India population )  હિંદુઓનો હિસ્સો 1950માં 84%થી ઘટીને 2015માં 78% થઈ ગયો હતો, જ્યારે તે દરમિયાન સમયગાળામાં (65 મુસ્લિમોનો હિસ્સો 9.84% થી વધીને 14.09% થયો છે. ભારતમાં બહુમતી એટલે કે હિંદુઓની વસ્તીમાં 7.8 ટકાનો ઘટાડો થયો છે. ભારતની જેમ પડોશી દેશ મ્યાનમારમાં પણ બહુમતી વસ્તીમાં 10%નો ઘટાડો નોંધાયો છે. નેપાળની સ્થિતિ પણ આવી જ છે, જ્યાં તેની બહુમતી (હિંદુ) વસ્તીમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai Crime: બોરિવલીમાં ચાલતી ઓટોમાં યુવતીની છેડતી, જીવ બચાવવા યુવતી ચાલતી ઓટોમાંથી કૂદી પડી, બે આરોપીની ધરપકડ

જ્યારે, જો આપણે ભારતના અન્ય પડોશી દેશોની વાત કરીએ જ્યાં મુસ્લિમોની બહુમતી છે, તો બાંગ્લાદેશની બહુમતી વસ્તીમાં 18.5 ટકાનો વધારો થયો છે. એ જ રીતે, પાકિસ્તાનમાં બહુમતી વસ્તી (મુસ્લિમ) માં 3.75 ટકા અને અફઘાનિસ્તાનમાં 0.29 ટકા વધી છે. આ સિવાય માલદીવમાં તેની બહુમતી વસ્તી (સુન્ની)માં 1.47 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારતના બે પડોશી દેશો ભૂટાન અને શ્રીલંકામાં બહુમતી વસ્તી વધી છે. ભૂતાનમાં બહુમતી વસ્તીમાં 17.6 ટકા અને શ્રીલંકામાં 5.25 ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે, શ્રીલંકા અને ભૂતાનમાં બૌદ્ધ ધર્મના લોકો બહુમતીમાં છે.

LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
LPG Crisis Deepens Amid Iran War: મોંઘવારીમાં મોટો ફટકો! ઈરાન યુદ્ધને કારણે LPG સંકટ; હવે ૧૪.૨ કિલોના સિલિન્ડરમાં મળશે માત્ર ૧૦ કિલો ગેસ? જાણો સરકારનો નવો પ્લાન.
Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Exit mobile version