Site icon News Continuous Bureau | Mumbai

ગૃહમંત્રી અમિત શાહ સાંજે 7 વાગે કિસાન નેતાઓને મળશે.. કૃષિ આંદોલન નું કોકળું ઉકેલાવાની આશા…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

08 ડિસેમ્બર 2020

ગૃહમંત્રી અમિત શાહ હવે કૃષિ સુધારા કાયદાને લઈને આંદોલનને કરી રહેલા ખેડૂતો ને મળવા માટે તૈયાર થયાં છે. ગૃહમંત્રી અમિત શાહે 8 ડિસેમ્બર 2020 ના રોજ એટલે કે આજે સાંજે 7 વાગ્યે મળવા ખેડૂત નેતાઓના પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે. 

આ વાતની પુષ્ટિ કરતાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે માહિતી આપી છે કે તેઓ ખેડુતોના મુદ્દાઓ પર સાંજે સાત વાગ્યે અમિત શાહને મળશે. 8 ડિસેમ્બરના રોજ ભારત બંધના એલાન આપીને છેલ્લા 13 દિવસથી નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહયાં છે. જોકે આજે દેશના મોટાભાગના રાજ્યોમાં બંધની મિશ્ર અસર જોવા મળી છે.

બીજી તરફ ખેડૂતોએ 4 કલાકના ચક્કાજામ પછી રસ્તાઓ પરથી હટવાનું શરૂ કર્યું છે. ખેડૂતોએ આપેલા ભારત બંધ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલ સાથે વાત કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ભારત બંધની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. રાજસ્થાનના જયપુરમાં આ દરમિયાન બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે આવી ગયા છે. ખેડૂતોએ બંધના ભાગરૂપે દિલ્હી-મેરઠ હાઈવેને જામ કર્યો છે. કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 13મો દિવસ છે. જોકે ઘણાં બધાં રાજ્યોમાં બંધથી બહુ ફરક પડ્યો નથી.

Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Sonam Wangchuk Protest સફેદ કપડામાં પોલીસકર્મી.. સોનમ વાંગચુકને જંતરમંતર પરથી આ રીતે હટાવવામાં આવ્યા? જુઓ વિડીયો
Rajouri LoC Firing Retaliation રાજૌરીમાં પાકિસ્તાનની નાપાક હરકત LoC પર ભારે ગોળીબાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Exit mobile version