Site icon

‘હું વડાપ્રધાન પદનો દાવેદાર નથી’ શરદ પવારે સ્પષ્ટતા કરી; કહ્યું કે, અમે માત્ર વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે કહ્યું કે હું માત્ર વિરોધ પક્ષોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું વડાપ્રધાન બનવાની રેસમાં નથી કારણ કે હું આગામી લોકસભા ચૂંટણી લડીશ નહીં. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે વિપક્ષને એવું નેતૃત્વ મળે જે દેશના ભલા માટે કામ કરે.

I am not candidate for PM post, says Sharad Pawar

I am not candidate for PM post, says Sharad Pawar

News Continuous Bureau | Mumbai
એનસીપી અધ્યક્ષે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પૂણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રામ તકવાલેના નિધન પ્રસંગે આયોજિત શોકસભામાં ભાગ લેવા આવ્યા હતા. અહીં મીડિયા સાથે વાત કરતા તેમણે આ માહિતી આપી હતી.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત અંગે શું કહ્યું?

શરદ પવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક ચૂંટણી પરિણામો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સફળતાનું સારું ઉદાહરણ છે. લોકો તેમના વિશે ગમે તે કહે, પરંતુ મને ખાતરી છે કે લોકો રાહુલ ગાંધીની વિચારધારાને સમર્થન આપશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ શહેરમાં લવજેહાદનો કેસ પકડાયો. અલ્પ વયની છોકરીને ઉત્તર પ્રદેશ ભગાડવામાં આવી. ભાજપના નેતા કિરીટ સોમૈયા નો દાવો.

સરકાર પર એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો

તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાડ્યો હતો કે વિપક્ષની એકતાને ભાંગવા માટે તેમજ પોતાના નિહિત સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારની યંત્રના નો ઉપયોગ કરી રહી છે.

 

Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
India Puts Trade Deal: ટ્રમ્પને ભારતનો આંચકો! વેપાર કરાર પર સહી કરવાનો ઈનકાર; ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ
Exit mobile version