Site icon

Droupadi Murmu: 2022ની બેચના આઈએએસ અધિકારીઓ રાષ્ટ્રપતિને મળ્યા

Droupadi Murmu: વહીવટકર્તા માટે સૌથી મહત્વની બાબત એ છે કે લોકોનો વિશ્વાસ જીતવો અને તેને જાળવવો: રાષ્ટ્રપતિ મુર્મુએ આઈએએસ અધિકારીઓને કહ્યું

IAS officers of 2022 batch met the President Droupadi Murmu

IAS officers of 2022 batch met the President Droupadi Murmu

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu: 2022ની બેચના આઈએએસ અધિકારીઓનું ( IAS officers ) એક જૂથ, જે હાલમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવો તરીકે નિમણૂંક થયા છે, તેઓ આજે (1 જુલાઈ, 2024) રાષ્ટ્રપતિ ભવનના ( Rashtrapati Bhavan ) સાંસ્કૃતિક કેન્દ્રમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂને મળ્યા હતા. 

Join Our WhatsApp Community

આઈએએસ અધિકારીઓને સંબોધતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય વહીવટી સેવાને આપણા દેશમાં એક સ્વપ્ન કારકિર્દી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે લાખો મહત્વાકાંક્ષી યુવાનો આઈએએસ અધિકારી બનવાનું સપનું જુએ છે. તેમાંથી ઘણા આ સેવામાં પસંદગી માટે ખૂબ જ સખત મહેનત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનાં તમામ યુવાનોમાંથી તેમને જ આ સેવાનાં માધ્યમથી નાગરિકોનાં કલ્યાણ માટે કામ કરવાની તક મળી છે. તેમણે તેમને સલાહ આપી કે તેઓ જ્યાં પણ કામ કરે છે ત્યાં તેમની સંવેદનશીલતા, પ્રામાણિકતા અને કાર્યક્ષમતા સાથે એક છાપ છોડી દે.

રાષ્ટ્રપતિએ ( Indian President ) કહ્યું કે આ ઉચ્ચ તકનીકી યુગમાં જ્યારે લોકો વાસ્તવિક સમયમાં દેશ અને વિશ્વ વિશે માહિતી મેળવી રહ્યા છે, ત્યારે અધિકારીઓના પડકારો વધુ વધ્યા છે. તેઓ કોઈ પણ યોજનાનાં સામાજિક કે આર્થિક ધ્યેયો હાંસલ કરે ત્યાં સુધીમાં તો લોકોની જરૂરિયાતો, જાગૃતિ અને આકાંક્ષાઓમાં વધારો થતો હોય છે. તેથી, તેઓએ આવી પદ્ધતિઓ બનાવવાનું શરૂ કરવું જોઈએ જે તેમને ભવિષ્ય માટે તૈયાર રહેવા માટે સક્ષમ બનાવે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દરેક વર્ગનાં સર્વસમાવેશક અને સ્થાયી વિકાસ તથા સામાજિક-આર્થિક સશક્તિકરણ માટેનાં મોટાં લક્ષ્યાંકો હાંસલ કરવા વહીવટીતંત્રની કાર્યસંસ્કૃતિ જનભાગીદારી પર આધારિત હોવી જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આજના સંદર્ભમાં, અધિકારીઓએ માત્ર વહીવટકર્તાઓની જ નહીં પરંતુ સહાયકો અને મેનેજરોની ભૂમિકા પણ ભજવવી પડશે. તેમની સફળતાનો આધાર એ વાત પર રહેશે કે તેઓ દરેકને સાથે લઈને જવાબદાર, પારદર્શી અને અસરકારક વહીવટ કેવી રીતે આપી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Surat: સુરતમાં જામી વરસાદીની હેલી, ૧૨ કલાકમાં સૌથી વધુ આ વિસ્તાર માં ૧૦૫ મી.મી વરસાદ નોંધાયો..

રાષ્ટ્રપતિએ કહ્યું કે એક વહીવટકર્તા માટે સૌથી મહત્વની બાબત એ છે કે લોકોનો વિશ્વાસ જીતવો અને તેને જાળવવો. તેમણે તેમને સુલભતા, પારદર્શકતા અને વિશ્વાસનું નિર્માણ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. જો કે, તેમણે તેમને સ્વ-પ્રચાર માટે ટેકનોલોજી, ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી.

રાષ્ટ્રપતિએ અધિકારીઓને કહ્યું કે નૈતિકતા અંગેના કોઈપણ સમાધાનનો સામનો કરવા માટે તેઓએ શરૂઆતથી જ સજાગ અને સક્રિય રહેવું પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકારની નીતિઓ અને કાર્યક્રમોના અમલીકરણની સાથે સાથે, તે બધા તેમના વ્યક્તિગત આચરણમાં અખંડિતતા, ન્યાયીપણા અને ટકાઉપણાને પણ પ્રોત્સાહન આપશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વિકસિત ભારતના ( Viksit Bharat ) નિર્માણ માટે વિકસિત માનસિકતા આવશ્યક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અધિકારીઓ નવી વિચારસરણી અને નવા ઉકેલો સાથે દેશના વિકાસને આગળ ધપાવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version