Site icon News Continuous Bureau | Mumbai

Uniform Civil Code : જો કોઈ ઈચ્છે છે કે મરજી એટલા લગ્ન કરી લે, તો તે ભારતમાં નહીં ચાલે’, યુનિફોર્મ સિવિલ કોડ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુનિફોર્મ સિવિલ કોડ પરના નિવેદન બાદ જ્યાં રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે ત્યાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હવે તેનો ડ્રાફ્ટ લો કમિશનને સોંપવાની તૈયારી કરી રહ્યું છે.

Uniform Civil Code : જો કોઈ ઈચ્છે છે કે મરજી એટલા લગ્ન કરી લે, તો તે ભારતમાં નહીં ચાલે', યુનિફોર્મ સિવિલ કોડ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન

Uniform Civil Code : જો કોઈ ઈચ્છે છે કે મરજી એટલા લગ્ન કરી લે, તો તે ભારતમાં નહીં ચાલે', યુનિફોર્મ સિવિલ કોડ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુનિફોર્મ સિવિલ કોડ પરના નિવેદન બાદ જ્યાં રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે ત્યાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હવે તેનો ડ્રાફ્ટ લો કમિશનને સોંપવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે UCCને લઈને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. રાજનાથ સિંહે કહ્યું છે કે વિપક્ષે તેને હિંદુ અને મુસ્લિમનો પ્રશ્ન બનાવી દીધો છે જ્યારે મોદી સરકારે ક્યારેય કોઈ ધર્મના લોકોના આચરણ પર પ્રતિબંધ મૂક્યો નથી. રક્ષા મંત્રીએ કહ્યું કે સરકાર એ જ વચનને પૂર્ણ કરવા જઈ રહી છે, જે બંધારણમાં લખેલા છે. કોઈ એ આઝાદી માંગે કે અમે કેટલા લગ્ન કરીએ… તો ભારતમાં આવું નહીં થાય.

Join Our WhatsApp Channel

‘મહિલાઓનું સન્માન અમારી પ્રતિબદ્ધતા, ભલે તે કોઈ પણ જ્ઞાતિ ધર્મની હોય’

તેઓ જોધપુરના શેરગઢમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, “અમે તે કરવા જઈ રહ્યા છીએ જે બંધારણ ઘડનારાઓએ બંધારણમાં લખ્યું છે… નીતિ-નિર્દેશક સિદ્ધાંતોમાં, અમે તે જ અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ, અમે તેમનું વચન પૂરું કરવા જઈ રહ્યા છીએ, શા માટે અમારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે?” તેમણે કહ્યું, “શું પંડિત જવાહરલાલ નેહરુ બંધારણ સભામાં ન હતા? શું વલ્લભભાઈ પટેલ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ત્યાં ન હતા? મોદીને કેમ બદનામ કરવામાં આવી રહ્યા છે?” તેમણે કહ્યું, “જો કોઈ એ ઈચ્છે છે કે તેને એ આઝાદી મળી જાય કે તે જેટલી મરજી, એટલા લગ્ન કરી લે, તો ભારતમાં આવું નહીં થાય.”

આ સમાચાર પણ વાંચો: Indians: ઘરે પૈસા મોકલવામાં ભારતીયો પહેલા નંબરે, 111 બિલિયન ડોલરના મની ઓર્ડરથી NRI ભરી રહ્યા છે સરકારની તિજોરી

સિંહે કહ્યું કે મહિલાઓનું સન્માન અમારી પ્રતિબદ્ધતા છે, ભલે તે કોઈ પણ જ્ઞાતિ ધર્મની હોય. સિંહે કહ્યું, “અમે શું ખોટું કરી રહ્યા છીએ? અમે માતાઓ અને બહેનોને સન્માન આપી રહ્યા છીએ. અમે અમારા મેનિફેસ્ટોમાં પણ કહ્યું હતું કે, તો પછી વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. દરેક વસ્તુને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. અમે આવી રીતે દેશ ચાલવા નહીં દઈએ.”

‘હવે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર બોલે છે, તો લોકો તેને ખુલ્લા કાનથી સાંભળે છે’

સિંહે કહ્યું કે ચૂંટણી દરમિયાન વિરોધીઓ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવા અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના ભાજપના વચન પર સવાલો ઉઠાવતા હતા, પરંતુ સંસદના બંને ગૃહોમાં બહુમત મળ્યા બાદ ભાજપે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી… અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંત્રીએ કહ્યું કે તેઓ હિન્દુ-મુસ્લિમની નહીં, ન્યાય અને માનવતાની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે વડા પ્રધાનને વૈશ્વિક સ્તરે જે સન્માન મળે છે તે દરેક ભારતીયનું સન્માન છે અને તેમને તેના પર ગર્વ હોવો જોઈએ. 

રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતને પહેલા “નબળા” અને “ગરીબોની ભૂમિ” તરીકે જોવામાં આવતું હતું, જ્યારે હવે જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર બોલે છે, ત્યારે લોકો ખુલ્લા કાનથી સાંભળે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે તેઓ વૈશ્વિક સ્તરે લોકપ્રિય છે અને તેમનો ઓટોગ્રાફ લેવા ઈચ્છે છે, પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન મોદીના પગ સ્પર્શ કરવા માટે ઝૂક્યા, જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું કે પીએમ મોદી બોસ છે.

Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Operation Sindoor Anniversary। ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનો માસ્ટરસ્ટ્રોક! સોશિયલ મીડિયા પર DP બદલીને સેનાના શૌર્યને કર્યું સલામ
Operation Sindoor। ‘ભારત માફ નથી કરતું!’ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર રિલીઝ થયો ખાસ વીડિયો, દુશ્મનો માટે પણ છે ચેતવણી!
Chandranath Rath Biography। એરફોર્સથી રાજકારણ સુધીની સફર! શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’ ચંદ્રનાથ રથ કોણ હતા? બંગાળમાં હત્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ
Exit mobile version