Site icon

તમારું આધાર કાર્ડ રદ તો નથી થયું ને- UIDAIએ દેશમાં આટલા આધાર કાર્ડ રદ કર્યા છે- જાણો શું છે કારણ

શું તમે આધારથી જોડાયેલી સમસ્યાઓથી પરેશાન છો? તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, તરત જ મળી જશે સમાધાન

શું તમે આધારથી જોડાયેલી સમસ્યાઓથી પરેશાન છો? તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, તરત જ મળી જશે સમાધાન

News Continuous Bureau | Mumbai

યુનીક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા (UIDAI)એ દેશમાં લગભગ 6 લાખ જેટલા આધાર કાર્ડ(Aadhar card) રદ(cancelled) કર્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કેન્દ્ર સરકારે(Central govt) ચોમાસા અધિવેશનમાં વિરોધ પક્ષના સવાલ પર આ માહિતી જાહેર કરી છે.

Join Our WhatsApp Community

આધાર કાર્ડ એ શ્રીમંતથી લઈને ગરીબ લોકોના જીવનનો મહત્વનો ભાગ છે. અત્યંત મહત્વનો દસ્તાવેજ ગણાતા આધાર કાર્ડના ડુપ્લીકેટ કાર્ડ બની રહ્યા હોવાની અનેક ફરિયાદ આવી હતી. તેની સામે પગલાં લેતા આધાર કાર્ડ ઈશ્યુ કરનારી સંસ્થા UIDAIએ દેશભરમાં લગભગ 5,98,999 આધાર કાર્ડ રદ કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં કોરોના ગ્રાફ નીચે આવ્યો- ગત 24 કલાકમાં 14 હજારથી વધુ નવા કેસ આવ્યો સામે- જાણો તાજા આંકડા

જાન્યુઆરી 2022થી સરકારે 11 વેબસાઈટને આધાર કાર્ડ સેવા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈર્ન્ફોમેશન રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં વિરોધી પક્ષ નેતાના પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી.

સરકારના કહેવા મુજબ કોઈ પણ નાગરિકના આધાર કાર્ડની નોંધણી, કોઈપણ બાયોમેટ્રિક(Biometric) માં ફેરફાર કરવાનો અને મોબાઈલ નંબર બદલવાનો અધિકાર માત્ર સરકારને રહેશે. અન્ય કોઈ વેબસાઈટ(Website)ને આ અધિકારી નહીં હોય.

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version