Site icon News Continuous Bureau | Mumbai

370 બાદ કાશ્મીરમાં સંપૂર્ણ શાંતી, માનવાધિકારનું હનન બ્લુચીસ્તાનમાં થાય છે. UN માં ભારતે પાકને ઉઘાડું પાડ્યું

India abstains in U.N. vote underscoring need for just, lasting peace in Ukraine

'રશિયા યુક્રેનમાથી નીકળે બહાર', સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુદ્ધ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત સહિત આટલા દેશો મતદાનથી રાખી દુરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

16 જુન 2020

ગયા વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યુ છે, ત્યારબાદથી પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. જે અંગે ભારતે જીનીવા ખાતે UN માં વિરોધ નોંધાવ્યો છે. ભારતના સ્થાઈ પ્રતિનિધિ સેંથિલ કુમારે કહ્યું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે.. ભારતે UNHRC ના 43 માં સત્રમા કહ્યું કે – પાકિસ્તાન, દક્ષિણ એશિયાનો એકમાત્ર એવો દેશ, જ્યાં સરકાર નરસંહાર કરાવે છે.. પાકિસ્તાનને કોઈની પર પણ આરોપ લગાવતા પહેલા પોતાની અંદર એક ડોકિયું કરી લેવું જોઈએ. 

આ સાથે જ ભારતે પાકિસ્તાન ને સાફ શબ્દોમાં કહ્યું કે, બલૂચિસ્તાનમાં મોટા પાયે લોકો ઉપર હિંસા થઈ રહી છે. આ હિંસા સરકાર તરફથી જ કરાવાઈ રહી છે. લોકોને સ્થાનીક જગ્યા છોડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે. ત્યાં મિલેટ્રી કેમ્પ્સ અને ડિટેન્શન સેન્ટર કામ કરી રહ્યા છે. કોર્ટમાં રહેલા કેસ સાથે જોડાયેલા લોકોની હત્યા થઈ રહી છે. આ બધુ થઈ રહ્યું હોવા છતા ભારત પર આરોપ લગાવવો ચિંતાની વાત છે.

 જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની કોઈ ખરાબ અસર થઈ નથી. ઉલટાનું લોકોએ કાશ્મીરમાં શાંતિ વ્યવસ્થા બગડાવા માટે પાકિસ્તાનના પ્રયાસો વિરુદ્ધ રેલીઓ કાઢી હતી. 

આમ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાની પાકિસ્તાનની ચાલ સંયુક્ત રાષ્ટ્ર માં ઊંઘી પડી ગઈ છે….

Homemaker as Nation Builder અદાલતનો ઐતિહાસિક નિર્ણય, ગૃહિણીઓના અમૂલ્ય યોગદાનને ગણાવ્યું ‘નેશન બિલ્ડર’..
Ishq Karo Party રાજકારણમાં નવા વળાંક ‘કોકરોચ જનતા પાર્ટી’ બાદ હવે માર્કંડેય કાત્જુ લાવ્યા ‘ઈશ્ક કરો પાર્ટી’
Airbus C295 Test Flight ‘મેક ઇન ઇન્ડિયા’નું સફળ ટેસ્ટિંગ, એરબસ C295 વિમાને ભરી આકાશી ઉડાન
Rahul Gandhi Case ભગવાન રામ પર ટિપ્પણી કરવી પડી ભારે; કોર્ટે રાહુલ ગાંધીને ન આપી રાહત, FIR રદ કરવાનો આદેશ નામંજૂર
Exit mobile version