Site icon News Continuous Bureau | Mumbai

કરદાતાઓ માટે સારા સમાચાર, હવે આસાનીથી અહીં આઈટી રિટર્ન ભરી શકાશે ; જાણો વિગતે  

ભારતીય ડાક વિભાગ એટલે કે ઇન્ડિયા પોસ્ટ દ્વારા કરદાતાઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તે હેતુસર સરકાર નવી યોજના લઈને આવી છે. 

ઇન્ડિયા પોસ્ટ દ્વારા જણાવાયું છે કે, પોસ્ટ વિભાગ દ્વારા કોમન સર્વિસ સેન્ટરના (સીએસસી) કાઊન્ટર પર જઇને આવકવેરાનું રિટર્ન ફાઇલ કરી શકશે. 

Join Our WhatsApp Community

હવે પોસ્ટ ઓફિસમાંથી પણ આવકવેરાનું રિટર્ન ભરી શકાય તે માટે નવી સવલત આપવાની શરૂઆત કરાઈ છે. 

ઉલ્લેખનીય છે કે વિભાગ દ્વારા વિવિધ કુલ 73 જેટલી સર્વિસ પુરી પડાય છે જેમાં કેટલીક ઇ-સર્વિસનો પણ સમાવેશ થાય છે. 

મોટા શહેરોને બાદ કરતા નાના-શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવકવેરા રિટર્ન ભરવામાં ખુબ તકલીફ પડતી હતી. હવે પોસ્ટ ઓફિસમાં આઈટી રિટર્ન ભરવાની સવલત ઊભી થતાં મોટાપાયે રાહત થશે.

દેશમાં હાલ 1,54,965 જેટલી પોસ્ટ ઓફિસ કાર્યરત છે. જે પૈકી 1,39,067 ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. 

આજથી શરૂ થશે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે CETનું રજિસ્ટ્રેશન; જાણો સમયપત્રક સહિત તમામ જરૂરી વિગતો અહીં

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version