Site icon

કોરોના સંક્રમણના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે, કુલ કેસોની સંખ્યા પહોંચી 7.42 લાખને પાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

8 જુલાઈ 2020

માર્ચથી લઇને અત્યાર સુધીમાં કોરોના ને લઈને દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. જેનું એક કારણ એ પણ છે કે દિવસેને દિવસે વધુને વધુ લોકોના કોરોના  ટેસ્ટીંગ થઈ રહ્યું છે. આથી જેમ વધુ ટેસ્ટિંગ થઈ રહ્યું છે તેમ વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે જેઓને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ રાહતની વાત એ છે કે ભારતમાં રિકવરી રેટ ઘણો ઊંચો હોવાથી મોટાભાગના દર્દીઓ સારવાર બાદ સાજા થયાં હોવાનું જાણવા મળે છે. 

ભારતમાં સતત છઠ્ઠા દિવસે 20,000 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,752 નવા દર્દીઓ અને 482 લોકોનાં મોત નોંધાયા છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, હકારાત્મક કેસ 7,42,417. છે, જેમાં 2,649,944. સક્રિય કેસ, 4,56,831 ઉપચાર બાદ સારા થયેલા અને કુલ આજ સુધી 20,642 લોકોનાં મોત છે. અહીં એ નોંધવું જરૂરી છે કે રવિવારે ભારત રશિયાને પાછળ કરીને  ત્રીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બન્યો છે. કુલ કોરોનાવાયરસ ચેપની બાબતમાં ફક્ત યુએસ અને બ્રાઝિલ ભારત કરતા પાછળ છે.

જ્યારે કોરોના વાયરસના કારણ ગુજરાતમાં આજે મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. તેમજ ગુજરાતમાં પણ કોરોના વાયરસના 5 પોઝિટીવ કેસ સામે આવ્યા છે..  જેમાં અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, વડોદરામાં 1 કેસ પોઝિટીવ અને રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટીવ સામે આવ્યો છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJChci 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version