Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદીનો અર્થતંત્રની ગતિ પર વિશ્વાસ બરકરાર, કહ્યું – ભારત 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્યાંક હાંસલ કરશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

29 ઓક્ટોબર 2020

કોવિડ -19 રોગચાળો ફાટી નીકળ્યા બાદ વડા પ્રધાન મોદીએ પ્રથમ વખત કોઈ મોટા અખબારને  ઇન્ટરવ્યૂ આપ્યું છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. ભારત હજુ પણ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્‍યાંક પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. દેશ કોવિડ -19 ની અસરથી ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યો છે. દેશના કૃષિ અને સંરક્ષણ ક્ષેત્રમાં સતત સુધારો થઈ રહ્યો છે અને તેની અસર દેશના જીડીપીમાં વધારો થતાં જોવા મળશે. જો કે સુધારવાદી પગલાં દુનિયાને સંકેત આપે છે કે, નવુ ભારત બજારની તાકાતો પર વિશ્વાસ કરે છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં મૂડીરોકાણ માટે ભારત મનપંસદ સ્થળ છે. 

કોરોના બાદ આર્થિક સ્થિતીમાં ઘટાડો નોંધાયા બાદ પીએમએ કહ્યું કે આપણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ, આ પણ સંકેત છે. કૃષિ ક્ષેત્રમાં પ્રથમ, જેમ મેં પહેલા કહ્યું છે, અમારા ખેડુતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને અમે એમએસપી પર પાક ખરીદવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. રેકોર્ડ ઉત્પાદન અને રેકોર્ડ ખરીદીને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં કમાણી વધશે. રેકોર્ડ વિદેશી રોકાણ સૂચવે છે કે રોકાણની અનુકૂળ દેશની જેમ ભારતની છબી વધી રહી છે.

કોરોના રોગચાળો હોવા છતાં, આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટમાં, $ 35.73 અબજ ડોલરનું વિદેશી રોકાણ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયની તુલનામાં 13 ટકા વધુ છે. ટ્રેકટર સહિતના વાહનોના વેચાણ અગાઉના વર્ષના સ્તરને વટાવી ગયા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સતત ભારતને સપ્ટેમ્બરમાં ચીન અને બ્રાઝિલ બાદ પ્રમુખ ઉભરતા બજારોના 2 મોટા સ્તર ચઢીને ત્રીજા સ્થાન પર લાવવામાં મદદ કરી છે . ઈ વે બિલ અને જીએસટી સંગ્રહ વૃદ્ધ સારી રહી છે.

વડા પ્રધાને એમ પણ કહ્યું કે વધતા જતા ઉત્પાદનની અસર છેલ્લા સાત મહિનાની નિકાસમાં જોવા મળી રહી છે. ઇ-વે બિલ અને જીએસટી કલેક્શનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને આખરે, ઓગસ્ટ 2020 માં, ઇપીએફઓના નવા ખાતા ધારકો જુલાઈની તુલનામાં 34 ટકા વધ્યા છે. એટલે કે 10 લાખ નવા ગ્રાહકો ઇપીએફઓ સાથે સંકળાયેલા છે. જે બતાવે છે કે નોકરીઓ વધી રહી છે. આ સિવાય વિદેશી વિનિમય ભંડાર નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. જો આપણે અર્થવ્યવસ્થાના વળતરના મુખ્ય સંકેતો જોઈએ, તો આ વર્ષે સપ્ટેમ્બરમાં, રેલ્વે નૂરમાં ગત વર્ષની તુલનામાં 15 ટકા અને ઉર્જાની માંગમાં 4 ટકાનો વધારો થયો છે. આ સાથે, આત્મનિર્ભર ભારતની ઘોષણાથી પણ અર્થવ્યવસ્થાને મદદ મળી છે, ખાસ કરીને નાના ધંધા અને અસંગઠિત ક્ષેત્રે મજબુત બન્યું છે.

પીએમ મોદીએ દેશને આશ્વાસન આપતા કહ્યુ હતું કે, કોરોના વેક્સીન બન્યા બાદ દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. તેમણે કોરોના વેક્સીનના રસીકરણને લઇને સરકારની તૈયારીઓની માહિતી આપતા કહ્યુ હતું કે, દેશના દરેક ખૂણે સુધી વેક્સીન પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના વેક્સીનના સ્ટોરેજ માટે કોલ્ડ ચેઇનની કામગીરી ચાલી રહી છે.આગળ તેમણે કહ્યું હતું કે જ્યારે પણ કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે, દરેક દેશવાસીનું રસીકરણ કરવામાં આવશે. કોઇને પણ બાકાત રાખવામાં નહીં આવે.

એવુ માનવામાં આવી રહ્યુ છે કે, સરકાર હેલ્થ સ્કીમ હેઠળ આ રસીકરણ અભિયાન ચલાવશે. અલબત કોરોનાની વેક્સીન જેમને સૌથી વધુ જોખમ છે તેવી વ્યક્તિઓને સૌથી પહેલા મૂકવામાં આવશે. જેમાં કોરોના સાથે લડાઇ લડી રહેલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ શામેલ છે.

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version