Site icon News Continuous Bureau | Mumbai

ADPC: ભારતે એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સેન્ટર (એડીપીસી)ની અધ્યક્ષતા સંભાળી

ADPC: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ભારત આપત્તિનું જોખમ ઘટાડવા (ડીઆરઆર)ના ક્ષેત્રમાં વૈશ્વિક અને પ્રાદેશિક નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતે ડીઆરઆરમાં અનેક વૈશ્વિક પહેલો હાથ ધરી છે, ખાસ કરીને આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન (સીડીઆરઆઈ)ની સ્થાપના.

India chairs the Asian Disaster Preparedness Center (ADPC).

India chairs the Asian Disaster Preparedness Center (ADPC).

 News Continuous Bureau | Mumbai

ADPC: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આપત્તિ જોખમ ઘટાડા (ડીઆરઆર)ના ક્ષેત્રમાં વૈશ્વિક અને પ્રાદેશિક નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતે ( India ) આ દિશામાં અનેક વૈશ્વિક પહેલો હાથ ધરી છે, ખાસ કરીને આપત્તિને અનુકૂળ માળખા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન ( CDRI ) ની સ્થાપના કરવાની દિશામાં. 

Join Our WhatsApp Channel

ભારત સરકારના પ્રતિનિધિ તરીકે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ( NDMA ) ના સભ્ય અને એચઓડી, શ્રી રાજેન્દ્ર સિંહે, ગુરુવાર, 25 જુલાઈ 2024ના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં વર્ષ 2024-25 માટે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના પાસેથી એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સેન્ટર ( Asian Disaster Preparedness Center ) ના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે. એ.ડી.પી.સી. એ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આપત્તિ જોખમ ઘટાડવા અને આબોહવાની સ્થિતિસ્થાપકતાના નિર્માણમાં સહકાર અને અમલીકરણ માટે એક સ્વાયત્ત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારત અને આઠ પડોશી દેશો એટલે કે બાંગ્લાદેશ, કમ્બોડિયા, ચીન, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, શ્રીલંકા અને થાઇલેન્ડ એડીપીસીના સ્થાપક સભ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :  Amit Shah Kargil Vijay Diwas: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે “કારગિલ વિજય દિવસ”ના અવસરે આ યુદ્ધમાં પોતાની હિંમતથી માતૃભૂમિની રક્ષા કરનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભારતે 25 જુલાઈ, 2024ના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં ( Bangkok ) યોજાયેલી એડીપીસીની 5 મી બોર્ડ ઓફ ટ્રસ્ટી (બીઓટી) ની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Army Incident Update રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ગ્રેનેડ બ્લાસ્ટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 જવાન ઘાયલ, સેનાએ તપાસ શરૂ કરી
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.
Sea Route Reopened વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્યો ભારતીય જહાજ ‘દિશા’એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો; આ તારીખે ભારત પહોંચશે
Exit mobile version