Site icon

India-China Border Dispute: ચીનના નકશા પર બોલ્યા રાહુલ ગાંધી, PM મોદી આપે જવાબ.. જાણો શું છે આ સમગ્ર મામલો

India-China Border Dispute: ચીને તાજેતરમાં જ એક નકશો બહાર પાડ્યો હતો, જેમાં સમગ્ર અરુણાચલ પ્રદેશ અને અક્સાઈને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કર્યો હતો. ભારતે આ નકશા સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

India-China Border Dispute: Everyone knows about the war, China has grabbed our land, the Prime Minister should answer; Rahul Gandhi's attack

India-China Border Dispute: ચીનના નકશા પર બોલ્યા રાહુલ ગાંધી, PM મોદી આપે જવાબ.. જાણો શું છે આ સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

India-China Border Dispute: ભ્રષ્ટ ચીને (China) નવો નકશો જારી કર્યો છે અને દાવો કર્યો છે કે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અક્સાઈ ચીનનો ભાગ છે. જેના કારણે દેશની સાથે સાથે વિશ્વમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ મોદી પર નિશાન સાધ્યું છે. સાથે જ નકશો જાહેર કરવાનો ચીનનો દાવો ઘણો ગંભીર છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ આનો જવાબ આપવો જોઈએ. 

Join Our WhatsApp Community

ચીનના નવા નકશા વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું સતત કહેતો આવ્યો છું કે વડાપ્રધાન મોદી જે દાવો કરે છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગુમાવી નથી, તે તદ્દન ખોટા છે. સમગ્ર લદ્દાખ જાણે છે કે ચીને તેની જમીન હડપ કરી છે.” ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “નકશાનો મુદ્દો ખૂબ જ ગંભીર છે, પરંતુ તેઓ (ચીન) પહેલાથી જ જમીન લઈ ચૂક્યા છે. વડાપ્રધાને તેના વિશે કંઈક કહેવું જોઈએ.”

 ચીને અરુણાચલ પ્રદેશ પર દાવો કરીને નવો નકશો જાહેર કર્યો છે 

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, નવા નકશામાં ભારતના ભાગો સિવાય ચીને તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરને પણ પોતાના ક્ષેત્રમાં સામેલ કર્યો છે. નકશામાં ચીને નાઈન ડેશ લાઇન પર પોતાનો દાવો દર્શાવ્યો છે. આમ તેઓ દક્ષિણ ચીન સાગરના મોટા ભાગનો દાવો કરે છે. દરમિયાન, વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા અને બ્રુનેઇ દક્ષિણ ચીન સમુદ્રના વિસ્તારો પર દાવો કરી રહ્યા છે.

ચીનની સામ્યવાદી સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા પોસ્ટ કરાયેલા નકશામાં ચીન દ્વારા દક્ષિણ તિબેટ તરીકે દાવો કરાયેલ અરુણાચલ પ્રદેશ અને 1962ના યુદ્ધમાં ચીનના ભાગ તરીકે કબજે કરવામાં આવેલ અક્સાઈ દર્શાવવામાં આવ્યું છે. તે જ સમયે, ભારતે ચીનને વારંવાર કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે.

ચીનને પાયાવિહોણા દાવા કરવાની આદત છેઃ વિદેશ મંત્રી જયશંકર

એનડીટીવી સાથે વાત કરતા ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, “ચીનને એવા પ્રદેશો પર દાવો કરવાની જૂની આદત છે જે તેનો નથી. ભારતના કેટલાક ભાગો સાથેનો નકશો જારી કરવાથી કંઈપણ બદલાશે નહીં. અમારી સરકાર આ અંગે સ્પષ્ટ છે. અર્થહીન દાવા કરીને કોઈ બીજાના પ્રદેશને પોતાનો નથી બનાવતો

આ સમાચાર પણ વાંચો  : India Rain : ચોમાસાએ ફરી ચિંતા વધારી…દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ આટલા ટકા વરસાદ, હવામાન વિભાગનો ચોંકવનારો અહેવાલ… જાણો વિગત

PM Modi: બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત: “હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર નીકળી પડ્યા છીએ”, જાણો દેશ માટે શું છે વડાપ્રધાનનો પ્લાન
Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી
Pilot Shambhavi Pathak:દિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું: પાઈલટ દીકરીના લગ્નની કંકોત્રી છપાવાની હતી અને કાળમુખી દુર્ઘટનાએ માતમ ફેલાવ્યો
India-EU FTA: ભારત-EU વ્યાપાર સમજૂતી: ખેડૂતોના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય; ડેરી, ચોખા અને ઘઉં પર આયાત ડ્યુટીમાં કોઈ છૂટ નહીં
Exit mobile version