Site icon News Continuous Bureau | Mumbai

India covid19 : ફરી ડરાવા લાગ્યો કોરોના! 7 મહિના પછી નવા કેસ 800ની નજીક પહોંચ્યા, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત.. જાણો ચિંતાજનક આંકડા..

India covid19 : દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 7 મહિના પછી, ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800 ની નજીક પહોંચી ગઈ છે. નવા પ્રકાર JN.1 ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

India covid19 Daily Covid cases rise to 797, a 7-month high; 5 more deaths

India covid19 Daily Covid cases rise to 797, a 7-month high; 5 more deaths

 News Continuous Bureau | Mumbai 

India covid19 : ભારત ( India ) માં ફરી એકવાર મહામારી કોરોના ( Coronavirus ) એ માથું ઉચક્યું છે અને કોરોનાના દૈનિક કેસ ( Covid daily cases ) ઝડપી ગતિએ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 25 કલાકમાં કોવિડ-19ના 797 નવા કેસ નોંધાયા છે. ચિંતાજનક વાત એ છે કે આ આંકડો છેલ્લા 225 દિવસમાં સૌથી વધુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 19 મેના રોજ દેશમાં કોરોનાના 865 નવા કેસ નોંધાયા હતા.

Join Our WhatsApp Channel

પાંચ દર્દીઓએ ગુમાવ્યો પોતાનો જીવ 

દરમિયાન કોવિડના કારણે પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાંથી કેરળમાં બે અને મહારાષ્ટ્ર ( Maharashtra ) , પુડુચેરી અને તમિલનાડુમાં એક-એક દર્દીના મોત થયા છે. હવે મહામારીના સક્રિય કેસો ( Active cases ) ની સંખ્યા 4,091 પહોંચી ગઈ છે. જો કે આ વર્ષે 5 ડિસેમ્બર સુધીમાં દૈનિક કેસની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી ગઈ હતી, પરંતુ નવા પ્રકારો અને ઠંડા હવામાનના ઉદભવને કારણે કેસ ફરી વધી રહ્યા છે.

 સંક્રમિત કેસોની સંખ્યા 4.5 કરોડ સુધી પહોંચી

મહત્વનું છે કે વર્ષ 2020માં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનું મોજું ચાલી રહ્યું હતું ત્યારે દેશમાં સંક્રમિત કેસોની સંખ્યા 4.5 કરોડ સુધી પહોંચી ગઈ હતી. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5.3 લાખથી વધુ લોકોના મોત થયા છે. જોકે આ રોગમાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4.4 કરોડથી વધુ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે.  દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ramotsav in Ayodhya: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, માત્ર આ પાંચ લોકોને મળશે રામલલ્લાના સૌ પ્રથમ દર્શન કરવાનો અવસર..

સૌથી વધુ કેસ કેરળમાં

તમને જણાવી દઈએ કે ભારતમાં ગુરુવાર સુધી ઓમિક્રોન સબવેરિયન્ટ JN.1ના સૌથી વધુ કેસ કેરળ ( Kerala ) માંથી નોંધાયા છે. રાજ્યમાં હવે JN.1 ચેપના કુલ 78 કેસ મળી આવ્યા છે. રાજ્ય સરકારે આગામી 10 દિવસ સુધી ટેસ્ટિંગ વધારવા અને આરોગ્ય એજન્સીઓને એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. JN.1 સબવેરિયન્ટ અંગે, નાગરિકોને કોવિડ-યોગ્ય વર્તન જાળવવા અને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Exit mobile version