Site icon News Continuous Bureau | Mumbai

હાફીઝ સઈદના બનેવી સહિત મસુદ અઝહરના ભાઈ સુધી, ભારત સરકારે પાકિસ્તાનના 18ને આતંકી જાહેર કર્યા… જાણો સંપૂર્ણ યાદી… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

27 ઓક્ટોબર 2020

આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનીતિ પર કડક રીતે આગળ વધતાં ભારત સરકારે આજે વધુ 18 લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યા છે. તેમાં ઘણા મોટા આતંકવાદીઓના નામ શામેલ છે. ગૃહ મંત્રાલયે આજે અહીં એક નિવેદન જારી કરતાં જણાવ્યું છે કે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ 18 વધુ લોકોને આતંકવાદી તરીકે સામેલ કરવાનો અને એક્ટના ચોથા શિડ્યુલમાં તેમનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. સુધારેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) એ 'વ્યક્તિગત આતંકવાદીઓ' તરીકે જાહેર કરાયેલા લોકોની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે યુએપીએ એક્ટમાં ફેરફાર કર્યા હતા, જે હેઠળ હવે એક વ્યક્તિને પણ ભારતમાં આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. અગાઉ ફક્ત સંગઠનોને જ આતંકવાદી જાહેર કરાતા હતા.

1. સાજિદ મીર (LeT)

2. યુસુફ ભટ્ટ (LeT)

3. અબ્દુર રહેમાન મક્કી (LeT)

4. શહીદ મહેમૂદ (LeT)

5. ફરહતુલ્લાહ ગોરી

6. અબ્દુલ રઉફ અસગર

7. ઇબ્રાહિમ અતહર

8. યુસુફ અઝહર

9. શહીદ લતીફ

10. મોહમ્મદ યુસુફ શાહ (હિઝબુલ મુજાહિદ્દીન)

11. ગુલામ નબી ખાન (હિઝબુલ મુજાહિદ્દીન)

12. ઝફર હુસેન ભટ્ટ

13. રિયાઝ ઇસ્માઇલ

14. મોહમ્મદ ઇકબાલ

15. છોટા શકીલ

16. મોહમ્મદ અનીસ

17. ટાઇગર મેમણ

18. જાવેદ ચિકના

આપને જણાવી દઇએ કે તુર્કી સહિત કેટલાક દેશોની મદદથી, એફએટીએફની ગ્રે સૂચિમાંથી બહાર નીકળવાનો પાકિસ્તાનનો પ્રયાસ સફળ થયો નથી. વિસ્તૃત ચર્ચા કર્યા પછી, એફએટીએફએ ઘોષણા કરી કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહેશે. તેમને આતંક પર કાર્યવાહી કરવા માટે જરૂરી ધોરણોને પૂરા કરવા માટે ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Exit mobile version